વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બર 2021ના રોજ શુક્રવારે દેખાશે. આ ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં યોજાશે. જેથી કેટલીક રાશિઓના જાતકોને ખુબ ફાયદો થશે.
2021નું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે?
આ રાશિ થશે સૌથી વધારે પ્રભાવિત
ચંદ્રગ્રહણમાં હશે સુતક કાળ
2021માં કેટલા ચંદ્રગ્રહણ થશે?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2021માં કુલ 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ યોજાશે. પહેલું ચંદ્રગ્રહણ 26 મે 2021 અને બીજું ચંદ્રગ્રહણ 19 નવેમ્બર 2021ના રોજ શુક્રવારે દેખાશે. વર્ષનું છેલ્લું ગ્રહણ 4 ડિસેમ્બર 2021ના રોજ છેલ્લું ગ્રહણ યોજાશે જે સૂર્યગ્રહણ હશે.
આ રાશિ થશે સૌથી વધુ પ્રભાવિત
છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે 11 વાગીને 34 મિનીટથી શરૂ થશે અને સાંજે 5 વાગીને 33 મિનીટ પર પતી જશે. આ ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં યોજાશે. જેથી કેટલીક રાશિઓના જાતકોને ખુબ ફાયદો થશે તો કેટલાક જાતકોને નુકસાન થશે. ચંદ્રગ્રહણના દિવસે વૃષભ રાશિના જાતકોને બચીને રહેવું જોઇએ. તેમણે કોઇ સાથે વાદ વિવાદ કે ફાલતુ ખર્ચથી બચવું જોઇએ. આ દિવસે વૃષભ રાશિના લોકોએ એકાંતમાં રહીને પ્રભુનું નામ લેવું હિતાવહ રહેશે.
ચંદ્રગ્રહણનો સૂતક કાળ
આ ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ છે. તેથી, તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. તેમ છતાં, લોકોએ ચંદ્ર ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવું કે પીવું જોઈએ નહીં. તેઓએ શક્ય તેટલું ભગવાનની ઉપાસના કરવી જોઈએ. રાંધેલા ભોજનમાં તુલસીના પાન નાખવાથી અશુભની અસર નહીં થાય. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.