19 નવેમ્બર એટલે કે આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે પરંતુ આ રાશિ પર ભયંકર અસર થશે.
કાલે સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ
આ રાશિના જાતકોએ ખાસ સાચવવું
આંશિક ગ્રહણના કારણે સૂતક માન્ય રહેશે નહી
સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ
આ ખૂબ જ ખાસ છે કારણ કે આ પ્રકારનું ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થવાનું છે. આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ છેલ્લા 580 વર્ષોનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે. ગ્રહણનો સમયગાળો લગભગ સાડા ત્રણ કલાકનો રહેશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ બપોરે 12:48 થી 04:17 મિનિટ સુધી ચાલશે.
ગ્રહણ આંશિક હોવાથી સૂતક માન્ય રહેશે નહીં
ભારતીય સમય અનુસાર 19 નવેમ્બરે ચંદ્રગ્રહણ સવારે 11:32 થી શરૂ થશે અને સાંજે 05:33 વાગ્યે સમાપ્ત થશે.ભારતમાં આ ગ્રહણ અંત દરમિયાન આંશિક રીતે દેખાશે. આંશિક હોવાને કારણે આ ગ્રહણનો સૂતક માન્ય રહેશે નહીં, એટલે કે પૂજા સંબંધિત કોઈપણ પ્રકારના પ્રતિબંધો માન્ય રહેશે નહીં.
આ રાશિના લોકોએ સાવધાન રહેવું
મેષ- ચંદ્રગ્રહણની અસર તમારી રાશિ પર પણ જોવા મળશે. પૈસા અને સ્વાસ્થ્યના મામલે સાવધાની રાખો. મહત્વપૂર્ણ કાર્યો ઉતાવળમાં કરવાનું ટાળો અને આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો.
વૃષભ - આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે, તેથી તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. વિવાદોથી દૂર રહો, તમે તણાવથી બચી શકશો. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખો. ગુસ્સો, ઘમંડ અને મૂંઝવણથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
સિંહ - કૃતિકા નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. સૂર્ય તમારી રાશિનો પણ સ્વામી છે. માટે સ્વભાવમાં નમ્રતા અને વાણીમાં મધુરતા જાળવવી. અધિકારોનો દુરુપયોગ કરશો નહીં.
આ બાબતોનું ધ્યાન રાખો
જો કે આ ગ્રહણની અસર ભારતમાં જોવા નહીં મળે, પરંતુ નિષ્ણાતો ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવાની સલાહ આપે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો અને જો તમે ગર્ભવતી હો તો તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે.