વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે થશે. આ ચંદ્રગ્રહણ મિથુન રાશિ અને પુનર્વસુ નક્ષત્રમાં થશે. આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 10 જાન્યુઆરીએ રાતે 10.37થી શરૂ થશે અને 11 જાન્યુઆરીએ સવારે 2.45 મિનિટ સુધી રહેશે. ચંદ્રગ્રહણ માનવીના મસ્તિષ્ક પર પ્રભાવ પાડે છે. તેનાથી બચવા માટે દરેક રાશિના લોકોએ ખાસ ઉપાો કરી લેવા જરૂરી છે. જાણો કઈ રાશિના જાતકોએ શું ઉપાયો કરવાથી ગ્રહણની નકારાત્મક અસરથી બચી શકાશે.
10 જાન્યુઆરીએ વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ
રાતે 10.37થી સવારે 2.45 મિનિટ સુધીનું ગ્રહણ
દરેક રાશિના જાતકો માટે આ ઉપાયો રહેશે લાભદાયી
ઉલ્લેખનીય છે કે ગ્રહણનો પ્રભાવ એક પક્ષ સુધી એટલે કે 15 દિવસ સુધી રહે છે. ચંદ્રમા જળનું કારક હોવાથી આ સમયે પૃથ્વી પર પાણીની તકલીફ કે ભૂકંપ પણ આવી શકે છે. જાણો કઈ રાશિ પર કેવો રહેશે પ્રભાવ અને શું હશે તેના ઉપાય.
મેષ
આ રાશિના તૃતિય ભાવમાં ચંદ્રગ્રહણ મિત્રો અને નાના ભાઈ બહેનોથી સંબંધ બગાડી શકે છે. આ માટે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો. ભગવાન શિવના નમઃ શિવાય મંત્રનો 3 માળાનો જાપ કરો.
વૃષભ
આ રાશિના બીજા ભાવમાં ચંદ્ર ગ્રહણ ધન અને કુટુંબ સંબંધી વાદ વિવાદ કરાવી શકે છે. આ સિવાય સફેદ ચીજોનું દાન કરો. જેમાં તમે સફેદ કપડાં કે ચોખાનું પણ દાન કરી શકો છો.
મિથુન
આ ચંદ્રગ્રહણ મિથુન રાશિમાં થશે. જે સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી સર્જી શકે છે. આ માટે કાચા દૂધથી શિવજીને રુદ્રાભિષેક કરાવો તે જરૂરી છે.
કર્ક
કર્ક રાશિનાબારમા ઘરમાં ચંદ્રગ્રહણ થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. મન અશાંત રહેશે. આ સમયે ચંદ્રમાના મંત્રનો જાપ કરે. આ મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ.
સિંહ
સિંહ રાશિના 11માં ઘરમાં ચંદ્ર ગ્રહણ થવાથી આ રાશિના લોકોને ધન લાભ વધારે થઈ શકે છે. ખર્ચા રોકવા માટે દવાનું દાન કરો અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
કન્યા
આ રાશિમાં 10માં ઘરમાં ચંદ્રગ્રહણ કરવાથી કાર્યોમાં મોડું થઈ શકે છે. આ સિવાય નોકરીમાં પણ બદલાવ આવી શકે છે. આ દિવસે તમે શિવલિંગને કાચા દૂધથી અભિષેક કરાવો. તે તમારા માટે લાભદાયી રહેશે.
તુલા
તુલા રાશિના નવમા ભાવમાં આ ચંદ્રગ્રહણ તમારી કરિયરમાં બદલાવ લાવી શકે છે. સફેદ ચીજોના દાનની સાથે ચંદ્રમાના મંત્રનો જાપ (ઓમ સોમ સોમાય નમઃ) કરો અને માતાને કોઈ સફેદ ચીજ ભેટમાં આપો.
વૃશ્વિક
આ રાશિના આઠમા ભાવમાં ચંદ્રગ્રહણ દરેક કાર્યમાં મુશ્કેલી લાવશે. આ કારણે આંખોની સમસ્યા થઈ શકે છે અને સાથે ભાગ્ય અટકી શકે છે. આજે ચોખાની ખીર બનાવીને શિવલિંગને અર્પણ કરવાથી લાભ થાય છે.
ધન
ધન રાશિના સાતમા ભાવમાં આ ચંદ્રગ્રહણ દામ્પત્ય જીવનમાં નુકસાન કરાવશે. આ ચંદ્રગ્રહણ વ્યાપારમાં મોટું નુકસાન કરાવશે. અચાનક જ કોઈ દુર્ઘટના બને તે શક્ય છે. પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો 11 માળાનો જાપ કરવાથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે.
મકર
મકર રાશિના છઠ્ઠા સ્થાને આ ગ્રહણની અસર થશે. મનમાં નિરાશા અને જીવનસાથી સાથે વાદ વિવાદ વધી શકે છે. જીવનસાથીની સાથે શિવલિંગની પૂજા કરો અને શિવાષ્ટકનો પાઠ કરો.
કુંભ
આ રાશિના પાંચમા ભાવમાં ચંદ્રગ્રહણ પેટના રોગ અને પ્રેમના કિસ્સામાં ગરબડ થશે. શિવલિંગ પર જમણા હાથથી દૂધ ચઢાવો અને ઓમ નમઃ શિવાય કે નમઃ શિવાયનો જાપ કરો. આ ઉપરાંત માતાના ચરણ સ્પર્શ કરો, તે પણ ફળદાયી રહેશે.
મીન
મીન રાશિના ચોથા ભાવમાં ચંદ્રગ્રહણ તમારી માતાનું સ્વાસ્થ્ય ખરાબ કરશે. તેનાથી તમારા મનમાં નિરાશા આવી શકે છે. ભગવાન શિવ શંકરની પૂજા કરો અને પોતાના ઘરની ઉત્તર પૂર્વ દિશાને હંમેશા સાફ રાખો.