આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અસર કરશે. અમુક માટે સારું તો અમુક માટે ખરાબ, ચાલો જોઈએ કઈ રાશિ પર આ ચંદ્રગ્રહણનો કેવો અસર પડશે.
8 નવેમ્બરના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે.
આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અસર કરશે
જોઈએ કઈ રાશિ પર આ ચંદ્રગ્રહણનો કેવો અસર પડશે
દર વર્ષે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે કાર્તિક પૂર્ણિમા 08 નવેમ્બર 2022ના રોજ છે પણ આ દિવસે જ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. એટલા માટે આ વર્ષે દેવ દિવાળી 07 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ચંદ્રગ્રહણની શરૂઆત 8 નવેમ્બરે બપોરે 2:39 કલાકે શરૂ થશે અને પછી મધ્યકાળ 4:29 કલાકે થશે. ગ્રહણની સમાપ્તિ એટલે કે મોક્ષકાળ સાંજે 6.19 કલાકે રહેશે. જણાવી દઈએ કે આ ગ્રહણ આંશિકરૂપે થશે એટલે કે ભારતના કેટલાક ભાગોમાં દેખાશે. ગ્રહણનો સુતક સમય સવારે 5.30 થી શરૂ થશે.
આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અસર કરશે. અમુક માટે સારું તો અમુક માટે ખરાબ, ચાલો જોઈએ કઈ રાશિ પર આ ચંદ્રગ્રહણનો કેવો અસર પડશે.
મેષ
આ ચંદ્રગ્રહણ દરમિયાન મનમાં આશા અને નિરાશા બંને લાગણીઓ રહેશે પણ સાથે જ માનસિક શાંતિ મેળવવા માટે પ્રયત્ન કરવું જોઈએ. નોકરી પર દલીલબાજીથી બચો અને વાતચીતમાં સંયમ રાખો. પરિવારમાં ધાર્મિક કાર્યક્રમો થઈ શકે છે.
વૃષભ
આત્મવિશ્વાસની કમી રહેશે પણ એ સાથે જ ધર્મ પ્રત્યે નિષ્ઠા વધી શકે છે. તમારા ઘરમાં બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આ સાથે જ મેડિકલ ખર્ચ પણ વધી શકે છે. જૂન મિત્ર સાથે ભેટો થઈ શકે છે. પરિવારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો.
મિથુન
આ ચંદ્રગ્રહણ દરમિયાન મન પરેશાન થઈ શકે છે. કોઈ પણ કામ કરતાં આચકાઓ એ પહેલા આત્મનિર્ભર બનો. આ સમય દરમિયાન નોકરી બદલાવની તક મળી શકે છે. પણ આ સમયે વધુ પડતા ગુસ્સાથી બચો.નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે.
કર્ક
આ ચંદ્રગ્રહણ દરમિયાન કામ પ્રત્યે ઉત્સાહ અને ઉત્સાહ રહેશે પણ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.આ સાથે જ જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે પણ સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.વાતચીતમાં સંતુલિત રહેવાની જરૂર છે.
સિંહ
આ ચંદ્રગ્રહણ દરમિયાન મનમાં નિરાશા અને અસંતોષ રહેશે અને વેપારમાં વધારો થશે. આ સાથે જ કામ વધશે અને ધનલાભની તકો પણ મળશે.ઉપરાંત મિત્રોનો સહયોગ મળશે.શૈક્ષણિક કાર્યમાં અવરોધો આવી શકે છે. પરિવારના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
કન્યા
આ ચંદ્રગ્રહણ દરમિયાન મનમાં પ્રસન્નતાની લાગણી રહેશે.આ સાથે જ વાતચીતમાં સંતુલન રાખો. બૌદ્ધિક કાર્યો દ્વારા પૈસા કામવવાનો મોકો મળશેઆ બધા સિવાય કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે.
તુલા
આ ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિના લોકોનું મન પરેશાન થઈ શકે છે. સાથે જ આત્મનિર્ભર બનવું પડશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો અને મિત્રોનો સહયોગ મળશે.કવાણીમાં નમ્રતા રહેશે, પરંતુ સ્વભાવમાં ચીડિયાપણું પણ રહેશે.
વૃશ્ચિક
આ ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો અને પારિવારિક સમસ્યાઓ પર ધ્યાન આપો.આવકમાં ઘટાડો અને વધુ ખર્ચની સ્થિતિ બનશે અને નોકરીમાં બદલાવની શક્યતાઓ પણ બની શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો.
ધનુ
આ ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિના લોકોમાં આત્મવિશ્વાસની કમી રહેશે અને મન વ્યગ્ર રહેશે. આ સાથે જ મનની શાંતિ માટે પ્રયત્ન કરો. પારિવારિક સમસ્યાઓના ઉકેલ આવશે પણ આ સાથે જ વધુ પડતા ખર્ચથી મન પરેશાન થઈ શકે છે.
મકર
આ ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિના લોકોનું મન પ્રસન્ન રહેશે અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સાથે જ પારિવારિક જીવન સુખમય રહેશે.આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે આ ઉપરાંત કાર્યસ્થળ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
કુંભ
આ ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિના લોકોમાં કલા કે સંગીતમાં રસ વધી શકે છે. સાથે જ પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. જીવન સુખમય રહેશે અને મિત્રની મદદથી રોજગારની તકો મળી શકે છે.
મીન
આ ચંદ્રગ્રહણ દરમિયાન આ રાશિના લોકોમાં માનસિક શાંતિ રહેશે પણ વાતચીતમાં સંતુલન જાળવો.પારિવારિક સમસ્યાઓ પર ધ્યાન આપો અને આ સાથે જ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે છે. પ્રોપર્ટીમાંથી આવકનો સ્ત્રોત બનશે.