ઘણી વખત લોકો કહે છે કે ચંદ્ર ગ્રહણ વખતે કંઈ પણ ન ખાવું જોઈએ. પરંતુ શું તમને ખબર છે તેનું કારણ શું છે?
ચંદ્ર ગ્રહણ વખતે ભોજન કરવું નુકસાનકારક
ચંદ્રના કિરણને આ સમયે ઝેરી માનવામાં આવે છે
શરીર પર નકારાત્મક અસર પડે છે
એવું માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ વખતે ભોજન કરવું નુકસાનકારક બની શકે છે. ઘણી વખત લોકો કહે છે કે ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) વખતે કંઈ પણ ભોજન ન કરવું જોઈએ. પરંતુ શું તમને ક્યારેય વિચાર્યું છે કે ચંદ્ર ગ્રહણ વખતે કંઈ પણ ખાવાની ના કેમ પાડવામાં આવે છે?
હકીકતે તેના પાછળ ખાસ કારણ છે. શાસ્ત્રો અનુસાર, ચંદ્ર ગ્રહણને પરિવર્તનનો અગ્રદૂત અને અપશુકનનો સમય માનવામાં આવે છે. આજ કારણ છે કે આ સમયે અમુક સાવધાનીનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ચંદ્રના કિરણને આ સમયે ઝેરી માનવામાં આવે છે તેની તમારા શરીર પર નકારાત્મક અસર પડે છે.
ઉર્જા ચક્રો પર અસર
ગર્ભવતી મહિલાઓને આ સમયે ખાસ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન તે કોઈ પણ કોઈ પણ નુકસાન પહોંચાવતી વસ્તુઓથી દૂર રહે. માન્યતા અનુસાર ચંજદ્રમાના ચક્ર આપણા શરીર પર વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પ્રભાવ કરે છે. આ આપણા ઉર્જા ચક્રો પર પણ અસર કરે છે. ગ્રહણ વખતે ખાસ કાચા ફળ અને સલાડ ન ખાવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ચંદ્રમાના કિરણો તેના ગુણોને નષ્ટ કરી દે છે. એવી દરેક વસ્તુઓને ખાવાની ના પાડવામાં આવે છે જેને પચવામાં લાંબો સમય લાગતો હોય.
ગ્રહણ વખતે પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે
ચંદ્ર ગ્રહણ વખતે ઉર્જામાં ફેરફાર થાય છે અને તે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. ગ્રહણ વખતે પર્યાવરણમાં થયેલા ફેરફાર અને યુવી કિરણોના કારણે રાંધેલુ ભોજન ખરાબ થઈ શકે છે. રાંધેલા ભોજનમાં જ્યારે આ કિરણો પડે છે ત્યારે તેનાથી ભોજન દૂષિત થઈ જાય છે.
ભોજનને સુરક્ષિત રાખવા માટે મુકો તુલસીનું પત્તુ
શાસ્ત્રો અનુસાર, ચંદ્ર ગ્રહણ સુક્ષ્મજીવોના મૃત્યુનું કારણ બને છે. આજ કારણ છે કે આ સમયે ભોજન કરવાનો ઈનકાર કરવામાં આવે છે. રાંધેલા ભોજનમાં તુલસીનું પત્તુ મુકી દો. એવું માનવામાં આવે છે કે તે વિકિરણને દૂર કરે છે અને ભોજનને ઝેરમાં ફેરવતા રોકે છે. ગ્રહણ વખતે તુલસી વાળુ દૂધ પીવું યોગ્ય માનવામાં આવે છે.