આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ શુક્રવાર 10 જાન્યુઆરીએ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો 4 કલાકથી વધુ હશે. ગ્રહણ રાત્રે 10. 37 મિનિટથી પ્રારંભ થશે અને વહેલી સવારે 2.42 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણના 12 કલાક પહેલા સુતક સમયગાળો શરૂ થાય છે. તેથી 10 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી જ મંદિરોનાં દરવાજા બંધ કરવામાં આવશે.
આજે પહેલું ચંદ્રગ્રહણ
રાત્રે 10. 37 મિનિટથી પ્રારંભ થશે ચંદ્રગ્રહણ
સવારના 10 વાગ્યાથી મંદિરના દરવાજા થશે બંધ
ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે
વૈજ્ઞાનિક અને જ્યોતિષની રીતે આ ગ્રહણનું વિશેષ મહત્વ છે. આ એક અનોખી ખગોળીય ઘટના છે. ધાર્મિક અને જ્યોતિષની રીતે આ ઘટના જીવન પર ખાસ પ્રભાવ પાડે છે. જ્યોતિષની માન્યતાઓ અનુસાર ગ્રહણને અશુભ માનવામાં આવે છે.
કેવી રીતે સર્જાય છે ચંદ્રગ્રહણ- વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
વિજ્ઞાનના અનુસાર ચંદ્ર પૃથ્વીની ચારે તરફ ફરે છે.પૃથ્વી અને ચંદ્ર ફરતા ફરતા એક જ સમયે એવા સ્થાને આવે છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી લાઈનમાં હોય છે. પૃથ્વી ફરતા ફરતા સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે. ચંદ્રની સ્થિતિમાં પૃથ્વીની ઓટમાં છૂપાઈ જાય છે અને સૂર્યની રોશની તેની પર પડી શકતી નથી. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
ગ્રહણની ધાર્મિક માન્યતાઓ
પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ત્યારે દેવતા અને દાનવોની વચ્ચે અમૃત પાન માટે વિવાદ શરૂ થયો. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. દેવતા અને દાનવો તેમના પર મોહિત થયા. એક અસુરને ભગવાન વિષ્ણુની ચાલ પર શંકા થઈ અને અસુર છળથી દેવતાઓની લાઈનમાં આવીને બેઠો અને અમૃત પાન કરવા લાગ્યો.
ચંદ્રમા અને સૂર્યએ આ દાનવને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જાણકારી આપી. પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કર્યું. દાનવે અમૃત ગળા સુધી ઉતાર્યું જેના કારણે તેનું મોત ન થયું. માથાનો ભાગ રાહૂ અને ઘડ વાળો ભાગ કેતૂના નામથી જાણીતો થયો. આ કારણે રાહૂ અને કેતૂ સૂર્ય અને ચંદ્રને પોતાના દુશ્મન માને છે. પૂર્ણિમા અને અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમા ગ્રાસ કરે છે અને તેને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવાય છે.
જ્યોતિષની દૃષ્ટિએ રાહુ અને કેતુની અસર ખરાબ
જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. કોઈની કુડળીમાં રાહુ-કેતુ ખરાબ ભાવમાં બેસે છે તો તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની તાકાતનો અંદાજ એ વાતથી રાખી શકાય છે કે સૂર્ય અને ચંદ્રમાં પણ તેના પ્રભાવથી બચી શક્યા નથી.