આજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ જોવા મળશે. કોરોના મહામારીના ડર વચ્ચે અદ્ભૂત આકાશી નજારો જોવા મળશે. જાન્યુઆરી 2020માં પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. બીજુ ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આંશિક ગ્રહણ હોવાના કારણે સૂતકના નિયમો લાગૂ પડશે નહીં. ગુજરાતમાં ગ્રહણ રાત્રે 11.15 કલાકે જોવા મળશે. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. રાત્રે 12.54 કલાકે મહત્તમ અસર જોવા મળશે તો રાત્રે 2.34 કલાકે ગ્રહણ પૂર્ણ થશે. 59 ટકા જેટલો ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગ્રહણકાળના સમયે ચંદ્રમા વૃશ્વિક રાશિમાં રહેશે.
આજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ જોવા મળશે
ગુજરાતમાં ગ્રહણ રાત્રે 11.15 કલાકે જોવા મળશે
59 ટકા જેટલો ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળશે
ગ્રહણમાં ન કરો આ કામ
ચંદ્રગ્રહણના સમયે વાળમાં તેલ ન નાંખવું.
ખાવાનું -પીવાનું, સૂવાનું ટાળવું
સાથી સાથેના સંબંધો ન બનાવવા,
કપડાં ધોવા, તાળું ખોલવું, બ્રશ કરવું વગેરે કામ ટાળો.
ગ્રહણ સમયે ભગવાનને અડવું નહીં,
ગ્રહણ સમયે ખાવાનું ખાવાથી નરકમાં યાતનાઓ વેઠવી પડે છે.
આ સમયના દરેક નિયમો બાળકો, રોગી અને વૃદ્ધ વ્યક્તિને લાગૂ પડતા નથી.
સ્કંધ પુરાણ અનુસાર અન્યનું અનાજ કે ખાવાનું ખાવાથી પુણ્યનો નાશ થાય છે.
ગ્રહણમાં કોઈ શુભ કામ કરવું નહીં, મનમાં ભગવાનનું સ્મરણ કરવું.
ગ્રહણ પહેલાં શું કરશો?
ગ્રહણ શરૂ થતાં પહેલાં નાહીને તૈયાર થઈ ભગવાનની પૂજા અર્ચના અને હવન કરો.
માન્યતા અનુસાર ગ્રહણમાં સંયમ રાખો અને દાનનું અનેકગણું ફળ મળે છે તેથી તે કરો.
ગ્રહણ બાદ અચૂક કરો આ કામ
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને લગતા મંત્રનો જાપ કરવો જોઈએ.
ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો, નવા કપડા પહેરો અને પછી કંઈક દાન કરો.
આ પછી અન્ય કેટલાક કામ કરવાનું પ્રારંભ કરો.
ગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાના પાણીને આખા ઘરમાં છાંટો અને શુદ્ધિકરણ કરો.
ગ્રહણના અંતે ઘરની નજીકના મંદિરમાં પૂજા કરો અને દાન કરો.
એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણના અંતમાં ગાયને રોટલી ખવડાવવાથી સારું ફળ મળે છે.
માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ગ્રહણ સમાપ્ત થયા પછી ઇન્દ્રદેવની પૂજા કરવાનો રિવાજ છે.