27 જુલાઇ 2018ને સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણની ઘટના થવા જઇ રહી છે. આ ચંદ્રગ્રહણ 2018નું બીજૂ ચંદ્રગ્રહણ છે.આ ચંદ્રગ્રહણ પુરા ભારતમાં દેખાશે. આ ઉપરાંત દુબઇ આફ્રીકા દક્ષિણ એશિયામાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ત્યારે અમે આપને આ ચંદ્રગ્રહણ વિશે જણાવીશું.
શું હોય છે ચંદ્રગ્રહણ?
આપને જણાવી દઇએ કે ચંદ્રગ્રહણ એ એક પ્રકારની ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે ત્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂર્ણિમાના દિવસે થાય છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને સમય ચંદ્રમાની સ્થિત પર આધારિત છે.
ગ્રહણ સમયે શું ના કરવું જોઇએ..?
-ગ્રહણ સમયે ભોજન ના કરવું જોઇએ.
-ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ના નીકળવું જોઇએ.
-ગ્રહણ સમયે કોઇપણ પ્રકારના શુભકાર્યની શરૂઆત ના કરવી જોઇએ.
-ગ્રહણ સમયે સતત મંત્રોના જાપ કરતા રહેવું જોઇએ.
-જમવામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો.
કઇ રાશિ માટે ચંદ્ર ગ્રહણ છે અશુભ: મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ ફળ આપનારું નથી જેથી આ રાશિના જાતકોએ ગ્રહણ સમયે સતત ઇષ્ટદેવના જાપ કરવાથી મનને શાંતિ મળશે.
આ રાશિના જાતકો માટે છે શુભ ફળદાયી...
-મિથુન તુલા વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે શુભ ફળ આપનારું છે આ ગ્રહણ.