લખનઉના વજીરગંજ કોર્ટ પરિસરમાં બપોરે વકીલોની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે એક દેસી બોમ્બથી હુમલો કરી દીધો. અચાનક થયેલા બોમ્બ ધમાકાથી પરિસર ગૂંજી ઉઠ્યું અને સાથે જ કોર્ટમાં હાહાકાર મચી ગયો હતો. હુમલામાં કોર્ટ પરિસરમાં બેઠેલા અનેક વકીલો ઈજાગ્રસ્ત થયા છે.
વજીરગંજ કોર્ટમાં થયો વકીલો વચ્ચે વિવાદ
મામલો વકરતા કર્યો બોમ્બ બ્લાસ્ટ
અનેક વકીલો થયા ઈજાગ્રસ્ત
વજીરગંજ કોર્ટમાં થયેલા હુમલાને પગલે વજીરગંજ પોલીસ સ્થળ પર પહોંચી. શરૂઆતમાં જાણવા મળ્યું કે ઘટના 2 વકીલો વચ્ચેની વાતચીતથી શરૂ થઈ હતી. થોડી વાર બાદ મામલો બીચક્યો ત્યારે એક વકીલે દેશી બોમ્બથી અન્ય પર હુમલો કરી દીધો. વકીલ પર હુમલો કરવામાં આવ્યો તેના કારણે તેમના સહિતના અન્ય અનેક વકીલો ઈજાગ્રસ્ત થયા હતા. પીડિત વકીલનું નામ સંજીવ લોધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Crude bomb hurled in a Lucknow court. Two lawyers injured. Three live crude bombs recovered.More details awaited. pic.twitter.com/iXvxNK9Tqb
પોલીસ તપાસમાં અન્ય 3 જીવતા બોમ્બ પણ મળ્યા હતા. ઘટના બાદથી પરિસરમાં હાહાકાર મચી ગયો છે. હુમલા બાદથી વકીલોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પીડિત વકીલ સંજીવ લોધીએ પરિસરમાં વકીલોની સુરક્ષાને લઈને પ્રશ્નો સર્જ્યા છે અને પોતાની સુરક્ષાની માંગ કરી છે.