કોરોના મહામારી વચ્ચે તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશની સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન અનુસાર પ્રદેશમાં કોરોનાના કેસ વધવાના કારણે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી નથી. એટલું જ નહીં આ વિસ્તારના આયોજક, કર્મચારીઓ કે વિઝિટર્સને પણ આયોજનમાં આવવાની મનાઈ છે.
કોરોના મહામારીમાં તહેવારો માટે જાહેર થઈ ગાઈડલાઈન
યૂપીની યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય
કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી નહીં
શુ કહેવાયું છે ગાઈડલાઈનમાં
ગાઈડલાઈનના આધારે આયોજકો દ્વારા સ્ટાફ માટે જરૂર પ્રમાણે સુરક્ષાના સંસાધનો જેવા કે માસ્ક, હેન્ડ સેનેટાઈઝર, સાબુ વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. આ સિવાય થર્મલ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ફેસ માસ્કને માટે પણ વોલેન્ટિયર રાખવા પડશે. આયોજકોએ કોન્ટેક્ટ લેસ એટલે કે ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે. આ સિવાય શું કરવું અને શું ન કરવું તેના નિર્દેશો પણ અલગ અલગ જગ્યાઓએ લગાવવાના રહેશે.
Government of Uttar Pradesh issues SOPs/guidelines for the festive season from October to November 2020, in the wake of #COVID19.
No festival-related activities allowed in Containment Zones. Organisers, staff & visitors coming from Containment Zones not allowed at such events. pic.twitter.com/QhrxQSAXxA
સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં આયોજકોને કહેવાયું છે કે તેઓ મૂર્તિઓ રાખવા માટે વધારે ખુલ્લી જગ્યાની પસંદગી કરે. આ સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જરૂરી છે. ચાર રસ્તા અને સડકો પર મૂર્તિઓ ન રાખવી. આ સિવાય મૂર્તિઓનો આકાર પણ નાનો રાખવાનું સૂચન કરાયું છે. વિસર્જનને માટે રૂટ મેપ પહેલાં જ તૈયાર કરીને તેની પરમિશન પણ લેવાની રહેશે. જો રૂટ લાંબો હશે તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે. અહીં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફેસ માસ્ક અનિવાર્ય રહેશે.