ઉત્તર પ્રદેશ સરકારે પાછા ફરનારા પ્રવાસી મજૂરો માટે ગાઈડલાઈન જારી કરી છે.
સરકારે પાછા ફરનારા પ્રવાસી મજૂરો માટે ગાઈડલાઈન જારી કરી
14 દિવસ સુધી રહેવુ પડશે ક્વોરેન્ટાઈન
પાછા ફરનાર પ્રવાસી મજૂરની તમામ જાણકારી રાખવી પડશે જિલ્લા પ્રશાસને
સરકારે પાછા ફરનારા પ્રવાસી મજૂરો માટે ગાઈડલાઈન જારી કરી
કોરોનાને કારણે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ અને લોકડાઉન લાગી રહ્યું છે. જેથી સંપૂર્ણ લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂરો અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પાછા ફરી રહ્યા છે. જેમાં મોટા ભાગના યુપી અને બિહારના મજૂરો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે પાછા ફરનારા પ્રવાસી મજૂરો માટે ગાઈડલાઈન જારી કરી છે.
14 દિવસ સુધી રહેવુ પડશે ક્વોરેન્ટાઈન
ઉત્તર પ્રદેશના ઉચ્ચ મુખ્ય સચિવ(સ્વાસ્થ્ય)એ રાજ્યમાં પ્રવાસી મજૂરોના પાછા ફરવા પર તેમના ક્વોરેન્ટાઈનને લઈને ગાઈડલાઈન જારી કરી છે. ગાઈડલાઈનના મુજબ લક્ષણોવાળા જે વ્યક્તિ સંક્રમિત નથી જોવા મળતા તેઓ 14 દિવસ સુધી અને લક્ષણ વગરના 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે.
UP Addl Chief Secy (Health) issues directions on quarantine of migrant workers returning to the state.
Wworkers to be screened by dist admn. Those showing symptoms, but are not infected, will be sent to 14-day home quarantine, 7-day home quarantine for the asymptomatic ones. pic.twitter.com/DQG9D94oAM
એટલું જ નહીં આ ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પ્રવાસી મજૂરોને પોતાના જિલ્લામાં પહોંચવા પર જિલ્લા પ્રશાસન તેમની ન ફક્ત સ્ક્રીનિંગ કરશે પરંતુ તેમનું આખુ નામ સરનામુ અને મોબાઈલ નંબર સાથે મહત્વની જાણકારીનું લિસ્ટ તૈયાર કરશે.
યુપીમાં કોરોના અનિયંત્રિત
ઉત્તર પ્રદેશમાં એક વાર ફરી કોરોનાએ પગલ પેસારો કર્યો છે. સ્થિતિ ખુબ વણસી છે. ગત 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 20, 510 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,11,835 થઈ ગઈ છે.
અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે સરકારને નિર્દેશ આપ્યા
કોરોનાના વધતા મામલાને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે રાજ્યમાં કોરોનાના વધારે કેસ ધરાવતા શહેરોમાં રાજ્ય સરકારને 2થી 3 અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન કરવા પર વિચાર કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે રસ્તા પર કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર જોવા ન મળવો જોઈએ. નહીં તો કોર્ટ પોલીસની વિરુદ્ધ પગલા ભરશે. કોર્ટે કહ્યુ કે સામાજિક ધાર્મિક આયોજનમાં 50 લોકો ભેગા ન થાય. અરજી પર સુનવણી 9 એપ્રિલે થઈ હતી.
શું છે દેશની સ્થિતિ
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,40,74,564 થઈ છે. દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે.