ઉત્તરપ્રદેશની યોગી સરકારે અનલોક 4માં વીકેન્ડ લોકડાઉનમાં રાહત આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા છે કે હવે પ્રદેશમાં ફક્ત સાપ્તાહિક બંધ ફક્ત રવિવાર માટે લાગૂ રહેશે. ઉલ્લેખનીય છે કે શનિવારે પણ બજારો ખુલશે અને એક રીતે લોકડાઉન ખતમ થશે.
યૂપી સરકારે આપ્યા ખાસ આદેશ
અનલોક 4માં રવિવારે રહેશે બજાર બંધ
લોકડાઉનને લઈને યૂપી વાસીઓને મળી રાહત
કોરોના વાયરસના સંક્રમણના કારણે યૂપી સરકારે પ્રદેશમાં થોડા સમય પહેલા વીકેન્ડ લોકડાઉન લાગૂ કર્યું હતું. જ્યારે સીએમ યોગીના નિર્દેશ બાદ તેને ખતમ કરી દેવાયું છે. હવે સાપ્તાહિક બંધ ફક્ત રવિવારે ચાલુ રહેશે. યૂપીના અવનીશ કુમાર અવસ્થીએ કહ્યું કે પ્રદેશમાં શનિવારે રાતે 12 વાગ્યાથી રવિવારે રાતે 12 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ ચાલુ રહેશે. આ સિવાય યૂપીમાં બજારો ખૂલવાનો સમય બદલવામાં આવ્યો છે. હવે સોમવારથી શનિવાર સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી બજારો ખોલી શકાશે. આ પહેલાં આ સમય સવારે 10થી રાતે 8 વાગ્યા સુધીનો હતો.
યૂપીમાં અનલોકની છે આ ગાઈડલાઈન
કેન્દ્ર સરકાર બાદ રાજ્યની યોગી સરકારે પણ હાલમાં જ અનલોક 4ને માટે ગાઈડલાઈન જાહેર કરી છે. મુખ્ય સચિવ આરકે તિવારીની તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન કેન્દ્ર સરકારના દિશા નિર્દેશના આધારે છે. યૂપીમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો ચાલુ કરાશે. જો કે શાળા અને કોલેજો તથા કોચિંગ સેન્ટર્સ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય દરેક જગ્યાએ અનલોક 4ની નવી ગાઈડલાઈન લાગૂ કરાશે.
સ્કૂલ કોલેજ બંધ, 21 સપ્ટેમ્બરથી મળશે છૂટ
રાજ્યના દિશા નિર્દેશ અનુસાર શાળા અને કોલેજ તથા કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 21 સપ્ટેમ્બરથી કન્ટેનમેન્ટ ઝોનની બહાર ઘોરણ 9-12ના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસે ગાઈડન્સ માટે શાળાએ જઈ શકશે. આ માટે પેરન્ટની લેખિત પરમિશન લેવાશે. એટલું જ નહીં શાળામાં 50 ટકા શિક્ષકો અને કર્મચારીઓ ઓનલાઈન ચર્ચા માટે બોલાવી શકાશે. રાષ્ટ્રિય ખેલકૂદ, આઈટીઆઈ, રાષ્ટ્રિય કૌશલ વિકાસ નિગમ અથવા રાજ્ય કૌશલ વિકાસ મિશનમાં વ્યવસાયિક પરીક્ષણની પરમિશન મળશે. સાથે જ 7 સપ્ટેમ્બરથી મેટ્રો રેલને ચરણબદ્ધ રીતે શરૂ કરાશે.
અત્યારે બંધ રહેશે આ સેવાઓ
21 સપ્ટેમ્બરથી તમામ સામાજિક, એકેડમીક રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમ તથા સામૂહિક ગતિવિધિમાં 100 લોકોનો સમાવેશ કરાશે. આ સાથે ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા કોરોનાના નિયમોનું પાલન પણ જરૂરી રહેશે. 20 સપ્ટેમ્બર બાદ લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારમાં 100 લોકો જઈ શકશે. તમામ સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, સભાગૃહ અને અન્ય સંસ્થા બંધ રહેશે. ઓપન થિયેટરને 21 સપ્ટેમ્બરથી શરૂ કરવાની પરમિશન મળશે.