દેશમાં 3 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ વાળા 11 રાજ્યોમાં યુપીમાં આવનારા માટે શનિવારથી નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.
યુપીમાં પ્રવાસ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો
આવનારા લોકોનું સ્ક્રિનિંગ શરુ કરી દેવામાં આવ્યું
20 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે કોરોનાનો ટેસ્ટ બતાવવાનો રહેશે
યુપીમાં પ્રવાસ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો
કોરોનાની બીજી લહેરને નિયંત્રિત ક્યા બાદ હવે રાજ્યની યોગી સરકાર ત્રીજી લહેરને લઈને વધારે સતર્ક જોવા મળી રહી છે. આજ કારણે છે કે દેશમાં 3 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ વાળા 11 રાજ્યોમાં યુપીમાં આવનારા માટે શનિવારથી નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ દેશના 11 ચિન્હિત રાજ્યોમાંથી યુપીમાં આવવા માટે આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ અથવા કોરોનાના બે ડોઝના પ્રમાણ પત્ર બતાવવાના ફરજિયાત છે.
આવનારા લોકોનું સ્ક્રિનિંગ શરુ કરી દેવામાં આવ્યું
નવો નિયમ લાગૂ થયા બાદ રાજ્યના તમામ એર પોર્ટ, બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશનો પર બહારથી આવનારા લોકોનું સ્ક્રિનિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. જો પ્રવાસીઓની પાસેનો નેગેરિટવ રિપોર્ટ 4 દિવસ જુનો નહીં હોય અથવા કોરોનાના રસીકરણનું પ્રમાણ પત્ર નહીં હોય તો તેવા પ્રવાસીને યુપીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આવતા 31 જુલાઈ સુધી આ રાજ્યોથી આવનારા લોકો પર કડકાઈ વર્તવામાં આવી. એ બાદ પોઝિટિવિટી રેટ અનુસાર રાજ્યોની નવી યાદી અપડેટ કરવામાં આવી.
આ રાજ્યોમાંથી આવનારા પર નિયમ લાગૂ
જે 11 રાજ્યો પર કડકાઈ લાગૂ કરવામાં આવી છે તેમાં મેઘાલય, ત્રિપુરા, ઉડીસા, આંધ્ર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ગોવા તથા અરુણાચલ પ્રદેશ શામેલ છે. આ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ત્રણ ટકાથી વધારે છે. તેમને 20 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે કોરોનાનો ટેસ્ટ બતાવવાનો રહેશે. ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગના ડિરેક્ટર ડો. ડીએસ નેગીએ જણાવ્યું કે એક ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કયા કયા રાજ્યોમાંથી આવનારા લોકો પર સખ્તાઈ દર્શાવવામાં આવશે અને તેમની યાદી તૈયાર કરવામાં આવશે. આ રાજ્યોના લોકોને 28 જુલાઈથી 31 જુલાઈના મધ્યમાં કરાવવામાં આવેલા રિપોર્ટને અથવા બન્ને રસીના પ્રમાણ પત્ર સાથે લાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં આવી શકે કે કોરોનાની ત્રીજી લહેર. ત્યારે યુપીમાં હાલ પોઝિટિવિટી રેટ 0.01 ટકા છે.