યૂપીમાં સ્માર્ટ મીટર વપરાશકર્તાઓના કનેક્શન કાપી નાંખવાને લઈને યોગી સરકાર કાર્યવાહી કરી રહી છે. કેસમાં અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના દિવસે યૂપીના 3 લાખથી વધારે ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ તેને લઈને તપાસના આદેશ આપ્યા છે.
યૂપીમાં જન્માષ્ટમીના દિવસે 3 લાખ ઘરોમાં વીજળી ગુલ
સ્માર્ટ મીટરમાં ગરબડને લઈને વીજળી ગુલ
સમગ્ર મામલે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
સારી વીજળી સુવિધા આપવાના નામે લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરે અચાનક દગો આપતાં વિવાદ સર્જાયો હતો. અનેક જિલ્લાની વીજળીની સમસ્યા ખોરવાઈ હતી. આ ઘટના એક ખોટા કમાન્ડના કારણે બની હતી. આ કારણે પ્રદેશના 8 શહેરોના 10 લાખ સ્માર્ટ મીટરમાં દોઢ લાખ મીટરની વીજળી ખોરવાઈ હતી, સાંજે લગભગ 4.30 વાગ્યાના સમયે સ્માર્ટ મીટરના સર્વર પર એક ખોટો કમાન્ડ અપાયો હતો. તેના કારણે રાતે 12 વાગ્યા સુધી વીજળી ખોરવાઈ હતી. પાવર કોર્પોરેશને દાવો કર્યો કે રાતે 9.30 વાગ્યા સુધી 70 ટકા ડિસ્કનેક્ટ થયેલા કનેક્શન ફરીથી ચાલુ કરાયા હતા. વીજળીના વપરાશ વિના જે શહેરો સૌથી વધારે પ્રભાવિત થયા હતા તેમાં મેરઠ, લખનઉ, વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ, અલીગઢ. બરેલી અને મથુરાનો સમાવેશ થયો હતો.
આ કારણે જતી રહી હતી લાઈટ
ઉર્જા વિભાગની તરફથી મળતી માહિતી અનુસાર સ્માર્ટ મીટરના સર્વર પર કોઈ કર્મચારી દ્વારા એક ખોટો કમાન્ડ આપી દેવાયો હતો. તેના કારણે અચાનક લાઈટો જતી રહી હતી. જો કે મોડી રાત સુધી ખ્યાલ ન આવ્યો કે ખોટો કમાન્ડ ક્યાંથી આપવામાં આવ્યો હતો.
ઉર્જામંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ સમગ્ર ઘટનામાં ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ યૂપીપીસીએલ ચેરમેન અરવિંદ કુમારને તપાસના આદેશ આપ્યા છે. સાથે ખોટી જાણકારી માટે જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા પણ કહેવાયું છે.