મસ્જિદ માટે આપવામાં આવેલ વૈકલ્પિક જમીન કોઇપણ કીમતે સ્વીકાર્ય નથીઃ જમીયત
મુસ્લિમ શિક્ષણ કેન્દ્ર ઉલૂમ નદવાતુલ ઉલેમા માં થઇ હતી બેઠક
મળતી માહિતી અનુસાર, આ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષના કેટલાક મોટા ચેહરા સામેલ થયા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરવા પર સંમતિ દર્શાવી. આ દરમિયાન પક્ષકારોએ વકીલાતનામા પર હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા.
જણાવી દઇએ કે આ બેઠકમાં જફરયાબ જિલાની પણ સામેલ થયા. અયોધ્યા મામલે ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) પણ રવિવારે બેઠક કરવા જઇ રહ્યું છે. બોર્ડની બેઠક પહેલા જ મુસ્લિમ પક્ષકાર અયોધ્યા પર પુનર્વિચાર અરજી માટે તૈયાર થઇ ગઇ છે.
જોકે, ઇકબાલ અંસારી અને સુન્ની વક્ફ બોર્ડે બેઠકમાં સામેલ ન થયા. બાબરી મસ્જિદ મામલે 4 વાદી મુલાકાતમાં હાજર રહેશે.
ફિરંગી મહલી, કલ્વે જવ્વાદ અને ઇકબાલ અંસારી સરીખે નેતા નથી ઇચ્થા કે ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવે. અંતિમ નિર્ણય રવિવારે થનારી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.
મસ્જિદના બીજા વિકલ્પ સ્વીકાર નહીંઃ જમીયત
જણાવી દઇએ કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉની પ્રસ્તાવિત રવિવારની બેઠકથી 2 દિવસ પહેલા જમીયત ઉલેમા-એ-હિંદ (જેયૂએચ) એ નિર્ણય કર્યો હતો કે તે મસ્જિદ માટે 5 એકર વૈકલ્પિક જમીન સ્વિકાર નહીં કરીએ.
જાણ થયા કે જેયૂએચ અયોધ્યા મામલે એક પ્રમુખ મુસ્લિમ વાદી રહ્યું છે. જમીયત ઉલેમા-એ-હિન્દ (જેયૂએચ)ના કાર્યકરી સમિતિની ગુરૂવારે દિલ્હીમાં થયેલ બેઠક દરમિયાન સંસ્થાએ કહ્યું કે મસ્જિદ માટે આપવામાં આવેલ વૈકલ્પિક જમીન કોઇપણ કીમતે સ્વીકાર્ય નથી, ચાહે પૈસા હોય કે જમીન હોય.
જેયૂએચએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને સમીક્ષા અરજી નાખવાની સંભાવનાથી ઇન્કાર નથી કર્યો. જેયૂએચના અધ્યક્ષ અરશદ મદનીએ કહ્યું કે પાંચ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મામલે કાયદાકીય અભિપ્રાય લેશે.