કોરોના સંકટમાં અનલૉક 1માં જ્યારે ટ્રેન શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે ટ્રેનમાં ગાઈડલાઈન અનુસાર માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશનના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય યાત્રીઓને માટે રેલ્વેએ રિઝર્વેશન ટિકિટને લઈને પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ફક્ત તેમાં એડ્રેસ આપવાથી કામ ચાલશે નહીં. તમારે આ સિવાય કેટલીક અનિવાર્ય જાણકારી પણ આપવાની રહેશે.
રેલ્વેએ નિયમોમાં કર્યો આ ફેરફાર
રેલ્વેમાં રિઝર્વેશન ફોર્મમાં કર્યો આ બદલાવ
રિઝર્વેશન ટિકિટ માટે એડ્રેસ સિવાય આ અનિવાર્ય જાણકારી જરૂરી
આ જાણકારી વિના ટિકિટ મળશે નહીં
નવા આદેશ અનુસાર ટિકિટ બુકિંગ માટે દરેક યાત્રીએ રિઝર્વેશન ફોર્મ પર થોડી વધુ જાણકારી આપવાની રહેશે. આ સિવાય ટિકિટ મળશે નહીં. જાણકારીમાં તમે ક્યાં જઈ રહ્યા છો તે જગ્યાનું પણ પૂરું એડ્રેસ આપવાનું રહેશે. ફક્ત શહેરનું નામ લખવાથી નહીં ચાલે. આ સિવાય તે જગ્યાનો પિનકોડ પણ આપવાનો રહેશે.
કોરોના સંક્રમણને લઈને યાત્રીના ડેસ્ટિનેશન સહિત અન્ય જાણકારીને પણ શેર કરવાની રહેશે. રિઝર્વેશન ફોર્મમાં આ જાણકારી નહીં આપો તો તમારી ટિકિટ બુક થશે નહીં. કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમના આધારે આ જાણકારી બાદ જ ટિકિટ બનીને મશીનની બહાર આવશે.
ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને કવાયત
આ દરેક જાણકારી એટલા માટે લેવામાં આવી રહી છે કે જેથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈ યાત્રી કે તેમના સહયાત્રી કોરોના પોઝિટિવ હોય તો તે જગ્યા પર સંપર્ક કરીને તેની માહિતી મેળવી શકાય. આ માટે રિઝર્વેશન ફોર્મ પર યાત્રીના ડેસ્ટિનેશનની જાણકારી સહિત અન્ય જાણકારી આપવાની અનિવાર્ય રહેશે.
ફક્ત પોતાનું સરનામું લખવાથી કામ નહીં ચાલે
પહેલાંના નિયમ અનુસાર રિઝર્વેશન માટે મુસાફરોને ફોર્મ પર પોતાનું સ્થાનિક એડ્રેસ ભરવાનું રહેતું હતું,. તેને જાણકારી માટે રેકોર્ડમાં રખાતા હતા. પણ હવે યાત્રીઓના એડ્રેસની સાથે સાથે પોસ્ટ ઓફિસનો પીન કોડ પણ આપવો જરૂરી છે.