ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયત ખરાબ થયા બાદ તેમને શનિવારે સાંજે લખનૌમાં રામ મનોહર લોહિયા ઈન્સ્ટિટ્યૂટમાં એડમિટ કરવામાં આવ્યા છે. મેડિસિન વિભાગના ડોક્ટરોના ઓબ્જર્વેશનમાં કલ્યાણ સિંહની સારવાર કરવામાં આવી રહી છે.
लखनऊ: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ बीजेपी के वरिष्ठ नेता कल्याण सिंह का हालचाल लेने के लिए डॉ.राम मनोहर लोहिया अस्पताल पहुंचे।
बीजेपी नेता कल्याण सिंह को शरीर में सूजन की शिकायत होने के बाद कल देर रात डॉ.राम मनोहर लोहिया आयुर्विज्ञान संस्थान में भर्ती कराया गया था। pic.twitter.com/GRdXIq7FFG
જાણકારી મુજબ તેમના શરીરમાં સોજાની ફરિયાદ છે. ગત અઠવાડિયે પણ કલ્યાણ સિંહને લોહિયામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના લોહીની તપાસમાં યુરિયા તથા ક્રિટિનિન વધ્યાનું સામે આવ્યું છે. પ્રવક્તા શ્રીકેશ સિંહ મુજબ તેમની તબિયત સ્થિર છે.
સીએમ યોગી આદિત્યનાથ તેમને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહ યુપીના મુખ્યમંત્રીની સાથે રાજસ્થાનના રાજ્યપાલ રહી ચૂક્યા છે. બીજી તરફ કલ્યાણ સિંહની તબિયત ખરાબ થવાની સૂચના પર રવિવારે સીએમ યોગી આદિત્યનાથ તેમને મળવા લોહિયા ઈન્સ્ટિટ્યૂટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલ્યાણ સિંહની સ્થિતિ- હાલત વિશે ડોક્ટરો સાથે વાત ચીત કરી. જાણકારીની મુજબ ડોક્ટરોએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ચિંતાની કોઈ વાત નથી. જલ્દી જ તેમનું હેલ્થ બુલેટિન જારી કરવામાં આવશે.