લખનૌના એક વ્યક્તિએ સીરમ અને તેને મંજૂરી આપનારી ICMR તથા WHO પર આશિયાના પોલીસ સ્ટેશનમાં લેખિત FIR નોંધાવી છે.
લખનૌના એક વ્યક્તએ અદાર પૂનાવાલા સામે નોંધાવી ફરિયાદ
ફરિયાદમાં ICMR તથા WHO પણ આરોપી
લોકો છેતરી રહ્યા હોવાનો ફરિયાદમાં દાવો
આ લોકો સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં લેખિત FIR
લખનૌના આશિયાના નિવાસી પ્રતાપ ચંદ્ર ગુપ્તાએ કહ્યુ કે કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટીબોડી નથી બની. આ લોકો છેતરી રહ્યા છે. આથી રસી તૈયાર કરનાર કંપની અને તેને પરવાનગી આપનાર સંસ્થાના જવાબદારોની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ વ્યક્તિએ કોવિશીલ્ડ રસી બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને તેને મંજૂરી આપનારી ICMR તથા WHO પર આશિયાના પોલીસ સ્ટેશનમાં લેખિત FIR નોંધાવી છે.
CMOએ કહ્યું કે નથી મળી ફરિયાદ
પીડિતને પહેલા CMO ઓફિસ મોકલવામાં આવ્યો હતો. CMO ડોક્ટર સંજય ભટનાગરે કહ્યું કે હજું સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ CMO ઓફિસમાં નથી આવી. જો આવે છે તો તેને જોવામાં આવશે. ત્યારે પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર પરમહંસ ગુપ્તાએ કહ્યું કે કોઈ અરજી મળી નથી. ન તો કોઈ ફરિયાદ નોંધાઈ છે.
એક્સપર્ટ બોલ્યા 28 ટકા લોકોમાં ઓછી એન્ટીબોડી બને છે
વિશેષજ્ઞો અને ડોક્ટર્સના જણાવ્યાનુસાર જો રસી લગાવ્યા બાદ પણ એન્ટીબોડી નથી બનતી તો ગભરાવાની કે હેરાન થવાની જરુર નથી. રસી કંપનીઓ પહેલા ડોઝ બાદ 72થી 82 ટકાની અસરનો દાવો કરે છે. તેવામાં શક્ય છે કે કેટલાક લોકોમાં એન્ટીબોડી ન બને.
28 ટકામાં માપદંડથી ઓછી એન્ટીબોડી
આથી રસી લગાવી ચૂકેલા લોકોને પણ માસ્ક, 2 ફીટનું અંતર અને સેનેટાઈજેશનના નિયમોનું પાલન કરવાની સલાહ અપાય છે. યૂનિસેફની હેલ્થ સ્પેશિયલિસ્ટ ડો. કનુપ્રિયા સિંઘલના જણાવ્યાનુસાર રસી લેનારા 28 ટકા લોકોમાં માપદંડો કરતા ઓછી એન્ટીબોડી બની શકે છે. એક્લ દોક્કલ લોકોમાં ન પણ બની શકે એન્ટીબોડી પરંતુ ભારે વસ્તી સુરક્ષા માટે રસી બહું જરુરી છે.