ઉત્તર પ્રદેશ સરકારે આદેશ જારી કર્યો છે કે કોવિડ રસીકરણ માટે સરકારી અને પ્રાઈવેટ કર્મચારીઓને રજા આપવામાં આવશે.
રસીકરણ કરાવનારા સરકારી કર્મચારીઓને એક દિવસની રજા
ગ્રામીણ અને શહેર સેક્ટરમાં ઓબ્જર્વેશન સમિતિને પુરી રીતે સક્રિય કરવામાં આવશે
સાર્વજનિક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે
રસીકરણ કરાવનારા સરકારી કર્મચારીઓને એક દિવસની રજા
સરકાર તરફથી જારી નિવેદન મુજબ રસીકરણ કરાવનારા સરકારી કર્મચારીઓને એક દિવસની રજાના નિર્દેશ આપવામાં આવ્યા છે. રસીકરણ માટે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને પણ રજા આપવામાં આવશે.
ગ્રામીણ અને શહેર સેક્ટરમાં ઓબ્જર્વેશન સમિતિને પુરી રીતે સક્રિય કરવામાં આવશે
જારી નિવેદન મુજબ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ગ્રામીણ અને શહેર સેક્ટરમાં ઓબ્જર્વેશન સમિતિને પુરી રીતે સક્રિય કરવામાં આવશે. ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોને સંપૂર્ણ ક્ષમતાથી સંચાલિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્થાનીક સ્તર પર આકલન કરતા કોવિડ હોસ્પિટલોની સંખ્યામાં વધારાના આદેશ આપ્યા છે.
સાર્વજનિક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે
ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને અસરકારક રીતે સંચાલિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આદેશ આપવામાં આવ્યા છે કે તમામ સાર્વજનિક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે. માસ્કના ફરજિયાત ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવે.
4 એપ્રિલ સુધી સ્કૂલ બંધ
મેડિકલ કોલેજ સહિત તમામ ચિકિત્સા સંસ્થાનો અને સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફાયર વ્યવસ્થાના ઓડિટને પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારે યુપીમાં ધોરણ 1થી 8 સુધીના તમામ સરકારી તથા પ્રાઈવેટ સ્કૂલોને રવિવારે 4 એપ્રિલ 2021 સુધી બંધ રાખવાના નિ્દેશ આપવામાં આવ્યા છે. અન્ય વિદ્યાલયોમાં કોવિડ પ્રોટોકોલનું પૂર્ણ પાલન સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.