ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ગેંગવૉર દરમિયાન મઉ જિલ્લાના પૂર્વ બ્લૉક પ્રમુખ અજીતસિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ધોળા દિવસે વિસ્તારમાં હડકંપ મચી ગયો.
ઘટના રાજધાની લખનૌના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનના પૉશ વિસ્તારના કઠૌતા ચોકની છે. ફાયરિંગમાં મુખ્તાર અંસારીના નજીકના અજીતસિંહની ગોળી મારીને હત્યા કરી દેવાઇ. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયાની સૂચના મળી છે.
ઇજાગ્રસ્ત અજીતસિંહને હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેમને ડૉક્ટરે મૃત જાહેર કર્યાઃ પોલીસ
જણાવી દઇએ કે, ગૈંગવોરને લઇને ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર સાંજે અંદાજિત 9 વાગ્યે કઠૌતા ચોકથી 50 મીટર દૂર ફાયરિંગની સૂચના મળી. ઘટના સ્થળે પહોંચીને ઘટનામાં ઇજાગ્રસ્ત અજીતસિંહ અને તેમના સાથીદાર મોહરસિંહને લોહિયા હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં ડૉક્ટરે અજીતસિંહને મૃત જાહેર કર્યા.
અજીતના સાથી મોહર સિંહને પણ ગોળી વાગી છે પરંતુ તેઓ ખતરાથી બહાર છેઃ પોલીસ
લખનૌના પોલીસ કમિશનર ડીકે ઠાકુરે ઘટના અંગે વિસ્તારમાં માહિતી આપી છે. જણાવી દઇએ કે રાત્રે અંદાજિત 8:30થી 9:00 વચ્ચે વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશન વિસ્તારના કઠૌતા ઝીલ નજીક ઘટના બની છે. મૃતકનું નામ અજીત સિંહ ઉર્ફ લંગડા છે. પોલીસે જણાવ્યું કે, અજીત બ્લૉક હાલ પ્રમુખ નહોતા. તેઓ પહેલા ક્યારેક બ્લૉક પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, અજીતના સાથી મોહર સિંહને પણ ગોળી વાગી છે પરંતુ તેઓ ખતરાથી બહાર છે.
25થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
આ સિવાય ત્યાંથી પસાર થઇ રહેલા ઝોમેટો કે સ્વીગીના સેલ્સમેન પ્રકાશને પણ પગમાં ગોળી વાગી છે. તેઓ હાલ ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે, અજીતસિંહ માફિયા અને ક્રિમિનલ હતો, તેના વિરૂદ્ધ 17-18 કેસ દાખલ છે. સિંહ પર 5 હત્યાના કેસ દાખલ છે. હાલમાં જ તેમને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર જિલ્લા બદર કરવામાં આવ્યા હતા. અજીત સિંહના સાથિઓ સાથે વાતચીત થઇ રહી છે. તેમણે જણાવ્યું કે, ગોળી મારના મૃતકના જાણિતા છે. અંદાજિત 25થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. 0.32 અને 9 MM બોરની ગોળીઓ મળી આવી છે. અધિકારીએ કહ્યું કે, અજીતના મિત્ર મોહરસિંહે કહ્યું કે, કુલ ત્રણ હુમલાખોર હતા. મઉથી કેસની વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.
મુખ્તાર અંસારની નજીકના હતા અજીતસિંહ
મળતી માહિતી અનુસાર, અજીતસિંહ મઉ જિલ્લાના મોહમ્મદાબાદ ગોહાનાના રહેવાસી હતા. તેમની પત્ની જોકે બ્લૉક પ્રમુખ છે. સિંહ પણ પહેલા બ્લૉક પ્રમુક રહી ચૂક્યા છે. અજીતસિંહની હત્યાને ધારાસભ્ય શિબૂસિંહના હત્યાકાંડ સાથે જોડીને જોવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અજીતસિંહ મઉ જિલ્લાના મુખ્તાર અંસારીના નજીકના હતા. આઝમગઢના એક બાહુબલી પર હત્યા કરાવવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.