રાજધાની લખનઉના ગોમતી નગર સ્થિત ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં કેરી મહોત્સવનું ઉદ્દઘાટન કરવા ગયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાષણ દરમ્યાન એક ખેડૂત ગુસ્સે થઈ ગયો. જેણે ત્યાં હોબાળો મચાવી દીધો. ઉન્નાવનો ખેડૂત કેરીની કિંમતને લઈ નાખુશ હતો.
ખેડૂતે કહ્યુ કે કેરી ત્રણ રૂપિયે કિલોના ભાવે બજારમાં જાય છે. ગયા વર્ષે જ્યારે કેરી 800 રૂપિયા કેરેટના ભાવે વેચાઈ રહી હતી જ્યારે આ વર્ષે 300 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.
મંચ પર ઉપસ્થિત સીએમ યોગી તેને શાંત રહેવાનો ઈશારો કરતા રહ્યા. ખેડુતની આ હરકતથી ત્યાં હાજર રહેલા પ્રશાસનમાં હડકંપ મચી ગયો. સીએમના ઓએસડી અભિષેક પ્રકાશને પણ દખલ આપવી પડી. સભાખંડમાં પાછળની તરફ પોલીસ નહોતી.
જ્યાં સુધી પોલીસ પહોંચતી ખેડુત પોતાની પીડાને જોર-જોરથી રજુ કરતો રહ્યો. બાદમાં પોલીસ તેને પકડીને બહાર લઈ ગઈ. આ મામલે પોલીસના મોડા પહોંચવા પર પણ કેટલાક ઓફિસરો પર પણ શંકા હોવાની સંભાવના જણાવવામાં આવી છે.