નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધમાં દેશના અલગ-અલગ ભાગોમાં પ્રદર્શન થઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં સભાને સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે CAAની વિરુદ્ધ વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યું છે અને દેશને તોડવાનું કામ કરાઇ રહ્યું છે. આ મુદ્દા પર અમારી પાર્ટીએ જન જાગરણ અભિયાન કરવાનો નિર્ણય લીધો છે.
દેશના વિવિધ ભાગોમાં CAAના વિરોધમાં ચાલી રહ્યા છે પ્રદર્શન
અમિત શાહે મંગળવારે લખનઉમાં CAAના સમર્થનમાં સભાને સંબોધન કર્યું
ભાજપે CAA ના સંબંધમાં જાગરૂકતા અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું
અમિત શાહે વિપક્ષ પર સવાલ ઉભા કરતા કહ્યું કે જ્યારે કાશ્મીરથી લાખો કાશ્મીરી પંડિતોને ભગાડી દેવાયા હતા, તો તેમનો માનવાધિકાર ક્યાં ગયો હતો. તેઓએ કહ્યું કે જેમને વિરોધ કરવાનો હોય કરી લે, પરંતુ CAA પાછો નહીં લેવામાં આવે.
ગૃહ મંત્રીએ કહ્યું કે, સંસદના સત્રમાં જ્યારે અમારી સરકાર બિલ લાવી તો રાહુલ ગાંધી વિરોધ કરી રહી હતી. આ મુદ્દા પર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આ કાયદાથી મુસલમાનોની નાગરિકતા ચાલી જશે. વિપક્ષનો કોઇ પણ નેતા ચર્ચા કરવા માટે તૈયાર થઇ જાય તો અમારી તરફથી સ્વતંત્રદેવ સિંહ ચર્ચા માટે તૈયાર છે.
દેશભરમાં સીએએ (CAA)ને લઇને સતત થઇ રહેલા પ્રદર્શનના જવાબમાં ભાજપે આ કાયદાના સંબંધમાં જાગરૂકતા અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું અને તેના બાદ અમિત શાહની સિવાય ઘણા અન્ય કેન્દ્રીય મંત્રી જનસભા આયોજિત કરી રહ્યા છે.
રાહુલ ગાંધી પર અમિત શાહનો હુમલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી કાન ખોલીને સાંભળી લે, તેમની પાર્ટીને કારણે ભારત માતાના બે ટુકડા ધર્મના આધારે થયા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ગત ઘણા વર્ષોમાં લઘુમતિઓની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે, એવામાં તેઓ ક્યાં ગયા હતા.
હુબલી રેલીમાં વિપક્ષ પર સાધ્યુ નિશાન
ગત સપ્તાહે ભાજપે કર્ણાટકના હુબલીમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ચલાવવામાં આવેલા અભિયાન હેઠળ ગૃહ મંત્રી અમિત શાહે એક રેલીને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, મોદી સરકારે ધાર્મિક રૂપે ઉત્પીડન પામેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવા માટે કાયદો બનાવ્યો છે. પરંતુ વિપક્ષ તેની વિરુદ્ધ ઉભો છે.