હકિકતમાં લખનૌ- અયોધ્યા હાઈવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસ ઉભી હતી. ત્યારે લખનૌથી આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. જેથી બસમાં સવાર એને તેની નીચે સુઈ રહેલા લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. ટક્કર એટલી જબરજસ્ત હતી કે આ દુર્ઘટનામાં લગભગ 18 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વધારે ગંભીરને લખનૌ રિફર કરવામાં આવ્યા છે.
इसी बीच पीछे से आ रहे ट्रक ने बस को टक्कर मारी लगभग 18 लोगों की मृत्यु हो गई। अभी भी कई लोग बस के नीचे दबे हुए हैं: एसएन साबात, एडीजी लखनऊ जोन, उत्तर प्रदेश (2/2) https://t.co/UCulx6uqV9
દુર્ઘટનામાં 11 લોકોના સ્થળ પર મોત, સાતે હોસ્પિટલ જતા પહેલા શ્વાસ છોડ્યા
આ ઘટનામાં રામસનેહીઘાટ સ્ટેશન વિસ્તારમાં લખનૌ- અયોધ્યા હાઈવે પર કલ્યાણી નદીના પુલ પર અકસ્માત થયો હતો. જાણકારી મુજબ પુલ પર ખરાબ પડેલી ડબલ ડેકર બસ લખનૌ તરફ લખનૌથી આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. જેથી બસમાં સવાર એને તેની નીચે સુઈ રહેલા લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. ટક્કર એટલી જબરજસ્ત હતી કે આ દુર્ઘટનામાં 11 લોકોના સ્થળ પર મોત થયા છે. જ્યારે 7 લોકોએ હોસ્પિટલ જતા જતા શ્વાસ છોડ્યો હતો. આમ કુલ 18 લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રામસનેહીઘાટ સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વધારે ગંભીરને લખનૌ રિફર કરવામાં આવ્યા છે. તેમજ બારાબંકી જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસે સ્થાનીકોની મદદથી ગંભીર લોકોને હોસ્પિટલમાં મોકલ્યા હતા.
હરિયાણાથી બિહાર જઈ રહી હતી બસ
ખાનગી ટ્રાવેલ્સની આ બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. ત્યારે રામસનેહીઘાટ સ્ટેશનમાં મોડી રાતે લખનૌ- અયોધ્યા હાઈવે પર કલ્યાણી નદીની પાસે એક્સેલ તુટવાથી બસ ખરાબ થઈ ગઈ. ત્યારે પ્રવાસી બસમાંથી ઉતરી બસની નીચે, આજુબાજુ સુઈ ગયા હતા. આ દરમિયાન લખનૌથી આવી રહેલા ટ્રેલરે ફુલ સ્પીડમાં બસને ટક્કર મારી.
અનેક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ
જ્યારે ઘટના બની ત્યારે ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘટના બાદ હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. અનેક કિલો મીટર જામ લાગ્યો હતો. ઘટનાનો શિકાર બનેલા લોકો બિહારના સીતામઢી, સુપૌલ સહિત અલગ અલગ જિલ્લાના રહેવાસી છે.