ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 32 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર રહેલા લોકોના જણાવ્યાં અનુસાર પિકઅપ વેનના ડ્રાઇવરને વહેલી સવારે ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો છે.
7 dead and 32 injured after a bus and a Bolero collided with each other in Puranpur area: Jai Prakash, SP Pilibhit pic.twitter.com/l918gQiwIR
પિકઅપ વેનના ડ્રાઇવરેને ઝોકુ આવતી જતા ચાલતી બસને ટક્કર મારી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેના કારણે બસ પલટી ગઇ. આ દૂર્ઘટનામાં બસમાં બેઠેલા 6 યાત્રીઓ અને પિકઅપમાં બેઠેલા 1 શખ્સનું મોત નિપજ્યું હતું.
રિપોર્ટ મુજબ આ અકસ્માત આજે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો. જ્યારે લખનઉથી આવી રહેલી પીલીભીત ડેપોની બસને પિકઅપ ચાલકે જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર મારી દેતા જ બસ પલટી ગઇ હતી.
આ દૂર્ઘટનામાં 7 યાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા. જેમાં એક મહિલા સામેલ છે. જ્યારે અન્ય ઘાયલોમાં 8 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઇજાગ્રસ્તોને નજીકની જિલ્લી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.