લખીમપુર ખીરીના તિકુનિયા કાંડ મામલામાં પોલીસે મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનૂનું લોકેસન શોધી કાઢ્યું છે.
પોલીસે મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનૂનું લોકેસન શોધી કાઢ્યું
છુપાતો ફરતો આશિષ મિશ્રા ભારત નેપાળ બોર્ડર પાસે હોવાની આશંકા
લખીમપુર ખીરી પોલીસે નેપાળ અને ઉત્તરાખંડ પોલીસ બન્નેથી સંપર્ક કર્યો
પોલીસે મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનૂનું લોકેસન શોધી કાઢ્યું
લખીમપુર ખીરીના તિકુનિયા કાંડ મામલામાં પોલીસે મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનૂનું નિવેદન નોંધવા માટે ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સવારે 10 વાગે પોલીસ લાઈનમાં હાજર રહેવા કહ્યું છે. પરંતુ આ તમામની વચ્ચે સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના આરોપી દીકરા આશિષ મિશ્રાનું લોકેશન ભારત - નેપાળ બોર્ડર પર મળ્યું છે. મનાઈ રહ્યું છે નેપાળના ગુરી ફેંટાની આસપાસ તેમની મૂવમેન્ટ સામે આવી છે. જ્યારે આજે સવારનું લોકેશન ઉત્તરાખંડના બાજપુરાનું છે. લખીમપુર ખીરી પોલીસે નેપાળ અને ઉત્તરાખંડ પોલીસ બન્નેથી સંપર્ક કર્યો છે. ઉલ્લેખનીય છે કે આશિષની વિરુદ્ધ હત્યાની સાથે જ અન્ય ધારાઓમાં મામલા નોંધવામાં આવ્યો છે.
પોલીસ કરી રહી છે શોધ
ત્યારે સૂત્રોએ એમ પણ કહ્યું છે કે મામલાના મૂળ પકડવાની સાથે આશિષ મિશ્રા ફરાર થઈ ગયો છે. આને જોતા યૂપી પોલીસે ટીમ ગઠિક કરી તેની શોધ હાથ ધરી છે. હવે આશિષને પકડવા માટે પોલીસ અનેક વિસ્તારમાં રેડ પાડી રહી છે. ત્યારે આની પહેલા મંત્રી અજય મિશ્રાએ કહ્યું હતુ કે મે મારા દીકરાને ક્યાંય નથી છુપાવ્યો. એ મોટો છે. સમજી વિચારીને નિર્ણય લઈ શકે છે. અજય મિક્ષાએ કહ્યું કે મારા દીકરા પર આરોપ લાગ્યો છે. કેસ કોઈ પણ નોંધાવી શકે છે. તપાસમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે મારો દીકરો ગુનેગાર હશે તો તપાસ એજન્સી કામ કરશે. હાલ તપાસ થઈ રહી છે.