હસ્તરેખા શાસ્ત્રમાં રેખા, આકૃતિઓ, નિશાનની સ્થિતના આધારે માણસનો સ્વભાવ-વ્યવહાર અને ભવિષ્ય વગેરેની ગણતરી કરવામાં આવે છે. હાથની રેખા દ્વારા જાણી શકાય છે કે માણસ કેવુ જીવન જીવશે.
હાથની રેખા પરથી જાણી શકાય છે માણસનો સ્વભાવ
માણસના ભવિષ્ય વગેરની પણ કરાય છે ગણતરી
આ રેખાઓની ખાસ સ્થિતિથી ચમકશે તમારું ભાગ્ય
આ રેખાઓની ખાસ સ્થિતિ ચમકાવે છે નસીબ
જેમકે તેની આર્થિક સ્થિતિ, કારકિર્દી, દામ્પત્ય જીવન, ખ્યાતિ, પરિવાર, આરોગ્ય વગેરે કેવુ રહેશે. જાતકને મહેનતનુ સારું ફળ મળશે કે નહીં. હસ્તરેખા શાસ્ત્રમાં અમુક રેખાઓને મહત્વની માનવામાં આવી છે. આ રેખાઓ છે, હૃદય રેખા, જીવન રેખા, વિવાહ રેખા અને ભાગ્ય રેખા. આ રેખાઓની સ્થિતિ પરથી જાણી શકાય છે કે તે સારું ફળ આપશે કે અશુભ. અવ્વલ તો દરેકના હાથમાં આ સારી રેખાઓ હોતી નથી અને જે લોકોના હાથમાં હોય અથવા શુભ સ્થિતિમાં હોય એવા અમુક લોકો જ હોય છે. આજે અમે ભાગ્ય રેખાની વાત કરીએ છીએ, જે ખૂબ ઓછા લોકોના હાથમાં હોય છે. આ સાથે જે લોકોના હાથમાં શુભ સ્થિતિમાં હોય છે તેમને જીવનનું દરેક સુખ આપે છે.
આવી ભાગ્ય રેખા ચમકાવે છે ભાગ્ય
એવી રેખા જે હથેળીના નીચેના ભાગથી મધ્ય આંગળીની નીચે શનિ પર્વત સુધી આવે તેને ભાગ્ય રેખા કહેવાય છે. જો રેખા મણિબંધથી શરૂ થઇને સીધા શનિ પર્વત સુધી જાય અથવા મધ્ય આંગળીના મૂળમાં જઇને મળે તેને વધુ શુભ માનવામાં આવે છે.
જો ભાગ્ય રેખા ચંદ્રના ક્ષેત્રમાંથી પ્રારંભ થઇને શનિ પર્વત સુધી જાય તો માણસને દરેક કામમાં સફળતા મળે છે. આવા લોકો પોતાના જીવનમાં વધુ માન-સન્માન મેળવે છે અને દરેક માણસને સન્માન પણ આપે છે. તેથી આવા જાતક લોકોની વચ્ચે ખાસ્સા લોકપ્રિય હોય છે.
તો જે લોકોની ભાગ્ય રેખા જીવન રેખાથી શરુ થઇને શનિ પર્વત સુધી જાય. તેઓ પોતાના જીવનમાં ક્યારેય પૈસાની તંગી ભોગવતા નથી. આ લોકોની પાસે હંમેશા વધુ પૈસા રહે છે અને તેઓ ખૂબ સમૃદ્ધ જીવન જીવે છે.