લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 305000 ઉમેદવારો પરીક્ષા આપશે. 220000 વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક મળશે.
ભરતી પારદર્શિતાથી થશે
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે,નોકરીમાં લાગવગથી અને નાણાંના જોરે નોકરી અપાવવાની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી છે. પોલીસ ભરતી માટે જો કોઈ નોકરીની અપાવવાની મધલાળ આપે અને બદલામાં નાણાની માગણી કરે તો આવા લોકોની વાતનું રેકોડિંગ આપવા પણ જણાવ્યું છે.