ફરી એકવાર LRDની લેખિત પરીક્ષા માટે કોલલેટરની તારીખમાં બદલાવ
LRDની લેખિત પરીક્ષા 10 એપ્રિલે
હવે 4 એપ્રિલે મળશે કોલલેટર
IPS હસમુખ પટેલે આપી જાણકારી
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. પરંતુ કોલલેટરને લઇને રોજબરોજ કંઇક નવી જ તારીખો જાહેર કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર કોલ લેટરની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 4 એપ્રિલના રોજ લોકરક્ષક દળની લેખિત પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરાશે તેમ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે.
3જી નહી 4 એપ્રિલે જાહેર કરાશે
અગાઉ કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 1લી એપ્રિલને બદલે 3 એપ્રિલ કરવામાં આવી હતી. પરંતુ હજી પણ ફરી એકવાર તારીખ બદલીને 4 એપ્રિલ કરવામાં આવી છે. આ અંગે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે વનરક્ષકની પરીક્ષામાં ઉનાવા અને ભાવનગરમાં થયેલી ગેરરીતીના બનાવોને ધ્યાનમાં લઇને કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઇને પણ કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
હસમુખ પટેલે શું કરી છે અપીલ ?
લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 3 લાખ સુધી ઉમેદવારો પરીક્ષા આપશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સેટિંગ માટે પૈસા આપી બેઠા હો તો ભ્રમમાં રહેતા નહીં, કોઈ તમને પાસ કરાવી નહીં શકે. તમે પાસ થશો તો પણ તમારી તાકાતથી અને મફતમાં કોઈ પૈસા લઈ જશે. માટે આગળ આવો અને ફરિયાદ કરો.
હેલ્પલાઇન નંબર
9104654217
8401154217
7041454217
9104654216
7041454218
લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના 25 અને લેખિત કસોટીના 100 ગુણ છે. શારીરિક કસોટીમાં ગમે તેટલા ઓછા ગુણ હોય તોપણ લેખિત કસોટીમાં વધુ ગુણ લાવી ઉમેદવાર સફળ થઈ શકે છે.