જુનાગઢનો રહેવાસી અમિત જોટવા અમરેલી ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની દોડ પરીક્ષા આપવામાં આવ્યો હતો, દોડ દરમિયાન યુવક અચાનક જ ગ્રાઉન્ડ પર પટકાઈ ગયો અને મોત થયું
પોલીસ ભરતી દરમિયાન દોડતી વખતે મૃત્યુ
જૂનાગઢનો યુવક અમરેલી આવ્યો હતો
ગ્રાઉન્ડ ઉપર દોડતા પટકાયો હતો યુવક
અમરેલીમાં પોલીસ ભરતી દરમિયાન દોડતી વખતે જૂનાગઢના યુવાનનું મોત થતાં ચકચાર મચી છે. પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ઉપર દોડતા દોડતા યુવક જમીન પર પડી ગયો હતો.જે બાદ તેને ડૉક્ટર દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો
જૂનાગઢ જિલ્લામાં રહેતો અમિત જોટવા નામનો ઉમેદવાર પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે અમરેલી સ્થિત મેદાનમાં દોડવા માટે આવ્યો હતો. અમિતે દોડ શરૂ કર્યા બાદ થોડી જ વારમાં ગ્રાઉન્ડ ઉપર પટકાયો હતો. જ્યાં જોત જોતમાં યુવક કે દુનિયામાંથી શ્વાસ છોડી દીધો હતો. હાજર પોલીસ જવાનો દ્વારા અમિતને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર પણ હાલ આઘાતમાં સરી પડ્યો છે. સરકારી ભરતીની આ દોડ યુવાન માટે જિંદગીની છેલ્લી દોડ બની ગઈ તેમ કહી શકાય.
(પ્રતીકાત્મક તસવીર)
હાલના સમયે કોઈ કોરોના પોઝિટિવ ઉમેદવાર હોય તો...
ઉમેદવારના પરિવારજન પૈકી કોઈ કોરોના પોઝિટિવ થયેલ હોય અને ઉમેદવારને કવોરોન્ટાઇન થવાનું હોય તો RTPCR સર્ટિફિકેટ સાથે ઉમેદવાર તારીખ બદલવા માટે બોર્ડને અરજી કરી શકે છે.
કઈ તારીખે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા આવી શકે
લોકરક્ષક દળની લેખિત પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયગાળાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ગઈકાલે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપી હતી. જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.