અનામત-બિન અનામત વર્ગના આંદોલનને ધ્યાને રાખી સરકારે વચલો રસ્તો કાઢ્યો છે. જે ઉમેદવારને 62.5 ટકા માર્ક્સ હોય તેમની ભરતી કરવાની બાહેંધરી આપી છે. જો કે, અનામત વર્ગ સરકારના આ નિર્ણયને લોલીલોપ ગણાવી અને 1-8-18ના પરિપત્રને રદ કરવાની માગ પર અડગ છે. તેઓ ઠરાવ રદ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આંદોલનને ડામવા સરકારનો સમાધાનકારી નિર્ણય
સરકારની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત
અનામત-બિનઅનામત મહિલાઓનુ આંદોલન યથાવત
અનામત વર્ગે અને બિનઅનામત વર્ગ દ્વારા LRD મામલે પોતાના નિવેદનો રજૂ કર્યા હતાં. અનામત વર્ગે જણાવ્યુ હતું કે અમારૂ આંદોલન ચાલુ જ રહેશે. આંદોલનકારી મહિલાઓ સરકારના નિર્ણયથી નારાજ છે. સરકારના આ નિર્ણયને અનામત વર્ગે લોલીપોપ ગણાવી છે. તેમની માંગ છે કે GRને કોઈપણ હિસાબે રદ્દ જોઈએ છે. રાજ્ય સરકાર પોતાનો નિર્ણય પરત લે તેવી માંગ કરી છે. તો આ તરફ બિનઅનામત વર્ગે જણાવ્યુ હતું કે પરિપત્ર નહીં હટાવવાની સરકારની બાહેંધરીએ અમારી જીત છે. બિનઅનામત વર્ગની સંકલન સમિતી આ અંગે વધુ નિર્ણય કરશે.
સરકારનો LRD પૂરતો નિર્ણય અમાન્યઃ પ્રવિણ રામ
LRD મામલે જન અધિકારમંચના પ્રમુખ પ્રવિણરામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતું કે અનામત આંદોલન ચાલુ જ રહેશે. LRD સામે અમારૂ આંદોલન ન હતુ. સરકાર SC, ST, OBC સમાજને ગેરમાર્ગે દોરી રહી છે.
આવતીકાલે અમારો નિર્ણય જણાવીશું: બાંભણિયા
LRD મામલે સરકારના નિર્ણય બાદ દિનેશ બાંભણિયાની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બાંભણિયાએ કહ્યું હતું કે, નિર્ણાયક સમિતિ રાજ્ય સરકારના નિર્ણયનો અભ્યાસ કરશે. સરકારનો નિર્ણય લેખિતમાં આવ્યા બાદ વિચારણા કરીશું. કોર્ટનો ચુકાદો ન આવે ત્યા સુધી ઠરાવ યથાવત રાખવામાં આવે. સરકારના નિર્ણયના નુકસાન-ફાયદા અંગે અભ્યાસ કરીશું. કટ ઓફ મામલે અમે આવતીકાલે બેઠક કરીશુ. તમામ મુદ્દાઓ પર આવતીકાલે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશું. જ્યા સુધી તમામ બહેનો ન્યાય નહીં મળે ત્યા સુધી આંદોલન ચાલુ રહશે. નિષ્ણાંતોની સલાહ બાદ આવતીકાલે પ્રેસ કરીશુ. કટ ઓફ, મેરિટ બાબતે અમે અભ્યાસ કરીશું. હાલના તબક્કે અમારુ આંદોલન ચાલુ છે. સમિતિ દ્વારા અભ્યાસ કરી અને અમારો નિર્ણય જણાવશું. બિન અનામત મહિલાઓનું આંદોલન ચાલુ રહેશે. અમારૂ આંદોલન ચાલુ રાખવામા આવશે. આગામી રણનીતિ અંગે સંકલન સમિતિ ચર્ચા કરશે.
કેટલાક લોકો વર્ગ વિગ્રહ કરાવે છેઃ જીતુ વાઘાણી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ LRD મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતું કે કેટલાક લોકો રાજકીય રોટલા સેકવા વર્ગ વિગ્રહ કરાવે છે. આ નિર્ણયને બારીકાઈથી સમજવાની જરૂર છે. સરકારના નિર્ણયથી દિકરીઓને ન્યાય મળશે.
શું છે રાજ્ય સરકારનો નિર્ણય?
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે LRDની ભરતીમાં તમામ લાયકાત વાળા ઉમેદવારોને ભરતી મળશે. 62.5 માર્ક મેળવનારે LRDમાં ભરતી થશે. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા મળશે. 62.5 ટકા ગુણાંકવાળા તમામની ભરતી કરાશે. 2018ના પરિપત્રને ધ્યાને લીધા સિવાય ભરતી કરાશે. તમામ જ્ઞાતિઓની બહેનોની ભરતી કરાશે.
જેમાં કુલ એક હજાર 193 ભરતી થવાની હતી. OBCની એક હજાર 834 જગ્યા વધારીને 3 હજાર 248 કરવામાં આવી છે. આદિવાસી સમાજની 476ના સ્થાને 511 મહિલાઓને નોકરી આપવામાં આવશે. GRને નજરઅંદાજ કરીને સરકારે નિર્ણય કર્યો છે. LRDમાં જેટલી બેઠકોમાં ભરતી થવાની હતી તેનાથી વધુની ભરતી કરવામાં આવી છે.
2018 પરિપત્રનો ઉકેલ ન થાય ત્યા સુધી કોઇ ભરતી થશે નહીં. કોર્ટના નિર્ણય સુધી ગુજરાતમાં કોઈ નવી ભરતીઓ થશે નહી. હાઇકોર્ટના ચુકાદા બાદ જ નવી ભરતી થશે. LRDમાં હવે 5 હજાર 227 ઉમેદવારોની ભરતી થશે. 2018ના પરિપત્ર મુદ્દે HCના ચુકાદા બાદ નવી ભરતી થશે. હાલ રાજ્ય સરકારે સમાધાનકારી નિર્ણય કર્યો છે. વહેલી તકે ઉમેદવારોને હુકમો આપવામાં આવશે.