બિન અનામત સંકલન સમિતિ પોતાની માગને લઈને અડગ છે. સરકારે 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જેને પગલે આજરોજ ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની દીકરીઓએ રેલીનું આયોજન કર્યું હતું અને તેમણે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ સત્યાગ્રહ છાવણી બાજું રેલી રવાના થઇ હતી. જોકે, આંદોલનમાં જોડાયેલા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
બિન અનામત વર્ગની દીકરીઓએ ગાંધીનગરમાં યોજી રેલી
કલેક્ટર સમક્ષ કરી રજૂઆત
સત્યાગ્રહ છાવણી ખાતે કરશે ઉપવાસ આંદોલન
આગેવાનોની કરાઇ અટકાયત
નોંધનીય છે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં બિન અનામત સંકલન સમિતિના આગેવાનો તથા કેટલીક મહિલાઓને પોલીસ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતાં અટકાવવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી.
બિન અનામત સંકલન સમિતિ અને આંદોલન પર બેઠેલી દીકરીઓએ ગાંધીનગર ખાતે એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં હજ્જારોની સંખ્યામાં બિન અનામત વર્ગની દીકરીઓ જોડાઇ હતી. જેમણે ગાંધીનગર કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત કરતા 2018ના પરિપત્રમાં ફેરફાર નહીં કરવાની વાત કરી હતી.
સત્યાગ્રહ છાવણી ખાતે શરૂ કરશે ઉપવાસ આંદોલન
કલેક્ટરને રજૂઆત કર્યા બાદ આ રેલી મુખ્યમંત્રી કાર્યાલય તરફ જવા રવાના થઇ હતા. જો કે થોડીવારમાં જ સીએમઓ જવાને બદલે તેઓએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મુખ્યમંત્રીને મળવાનો સમય પણ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટીદાર આગેવાન સી. કે. પટેલનું નિવેદન
અમદાવાદમાં પાટીદાર આગેવાન સી. કે. પટેલે નિવેદન કર્યું છે. તેમાં તેમણે જણાવ્યુ હતું કે સર્વ સમુદાયના લોકો સાથે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં સરકાર સાથે રજુઆત કરવામાં આવી છે. કલેક્ટરને આવેદન પત્ર આપીને રજુઆત કરવામા આવશે. તો આ તરફ ભાજપના નેતા વરુણ પટેલનું નિવેદન કર્યુ હતું અને જણાવ્યુ હતું કે સરકાર સામે યોગ્ય રજુઆત કરીશું. બિનઅનામત વર્ગની દીકરીઓ પોતના હક માટે આગળ આવી છે. તમામ સમુદાય સાથે બેસીને વાર્તાલાપ કરવાં આવ્યો છે. દીકરીઓ પોતાના હક માટે કલકેટર કચેરીએ આવેદન પાઠવશે.
બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓની HCમાં કરી અરજી
ઉલ્લેખનીય છે કે, બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓની HCમાં અરજી કરી છે. રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઇ અરજી કરવામાં આવી છે. 1578માંથી પાસ થયેલી 254 યુવતીઓએ અરજી કરી છે. તાત્કાલિક નિમણૂંક કરીને પત્ર આપવાની માંગ કરી છે.
આંદોલન કરવાની બિન અનામત સંકલન સમિતિની ચીમકી
બિન અનામત સંકલન સમિતિ પોતાની માગને લઈને અડગ છે. સરકારે 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે...જેને પગલે બિન સંકલન સમિતિએ પરિપત્રમાં ફેરફાર નહી કરવાની તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જે મુજબ મહિલા અનામત પોલિસી લાગુ કરવામાં આવી છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ભરતી કરવામાં આવી તેવી માગ કરી છે અને સરકાર જો પરિપત્રમાં ફેરફાર કરશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.