વિરોધ..વિરોધ.. વિરોધ... એવું લાગી રહ્યું છે કે, ગુજરાતના લોકો ક્યાંક ગુંચવાયા છે. અથવા તો સરકારના અણઘણ નિર્ણયોના કારણે ગુજરાતમાં વિરોધનો માહોલ બનતો જઈ રહ્યો છે. એક તરફ અનામત કેટેગરીની મહિલાઓ જીએડીનો વિરોધ કરી રહી છે. તો હવે તેની સામે બિનઅનામત વર્ગની મહિલાઓ પણ લડી લેવાના મૂડમાં મેદાનમાં આવી છે. જેમણે પણ ગાંધીનગરમાં ઉપવાસ શરૂ કર્યા છે. જોકે, મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
2018નો એ પરિપત્ર બન્યો માથાનો દુખાવો
અર્થઘટન ખોટું થયું કે દાનત ખોટી હતી?
ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓએ કર્યો વિરોધ
ગુજરાતના પાટનગરમાં એક તરફ અનામત વર્ગની મહિલાઓ LRDની ભરતીમાં અન્યાય થયાની માગ સાથે છેલ્લા બે મહિનાથી વિરોધ કરી રહી છે. જેમના વિરોધને શાંત પાડવા સરકારે થોડું નમતુ જોખ્યું તો બીજી તરફ સરકાર સામે હવે બિન અનામત વર્ગની મહિલાઓએ મોરચો ખોલ્યો છે અને ગાંધીનગરમાં ધરણા શરૂ કર્યા છે.
આગેવાનોની કરાઇ અટકાયત
નોંધનીય છે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં બિન અનામત સંકલન સમિતિના આગેવાનો તથા કેટલીક મહિલાઓને પોલીસ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતાં અટકાવવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી.
બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં મચાવી ધમાસાણ
એક તરફ અનામત વર્ગની મહિલાઓ તો બીજી તરફ બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધમાસાણ મચાવી રહી છે. પરંતુ આ વિરોધ સામ-સામે કોમ આવી ગયો. તો આપને જણાવી દઈએ કો, LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોનું મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં તેમને સ્થાન ન મળી શકે. આ પ્રકારનો તા.1-8-2018માં GADએ એક ઠરાવ બહાર પાડયો હતો. જેથી થયું એવું કે, અનામત કેટેગરીની મહિલાઓનું પરિણામ જનરલ કોટેગરીની મહિલાઓ કરતા વધુ હોવા છતાં તેમને નોકરી ન મળી. જેથી આ ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી GADના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. તો હવે બીજી તરફ LRDની બિન અનામત મહિલા ઉમેદવારો પણ લડી લેવાના મૂડમાં રસ્તા પર ઉતરી આવી છે અને પરિપત્ર રદ ન કરવા તેમજ તેમાં કોઈપણ ફેરફાર ન કરવાની માંગ સાથે ઉપવાસ શરૂ કર્યા છે.
એક પરિપત્રને લઇને બિન અનામત વર્ગની મહિલાઓ કરી રહી છે વિરોધ
અહીં સવાલ એવો પણ થતો હશે કે, અનામત વર્ગની મહિલાઓની માગણી સંતોષાય તો બિન અનામત વર્ગની મહિલાઓને શું નુકસાન થાય. તો આપને જણાવી દઈએ કે, તા.1-8-2018ના પરિપત્રમાં ફેરફાર થાય તો અનામત વર્ગની મહિલાઓને લાભ થાય. એટલે કે, જો અનામત વર્ગની મહિલાઓને સારા માર્ક્સ આવે તો સીધી જનરલ કોટેગરીમાં તેમની ભરતી થઈ શકે. સરકારના આ ઠરાવ પહેલા પણ અનામત વર્ગની મહિલાઓની આ જ રીતે ગણતરી થતી હતી. પરંતુ 2018ના ઠરાવ બાદ SC, ST, OBC મહિલાઓ તેમની જ કોટેગરીમાં ગણાતી થઈ. જેથી ઉંચુ મેરિટ હોય તો પણ અનામત વર્ગમાં જ ગણતરી થતી હતી જેનો વિરોધ અનામત વર્ગની મહિલાઓ કરી રહી છે અને જો હવે સરકાર તે ઠરાવ રદ કરે તો તે મહિલાઓ ઉંચા મેરિટમાં સીધી ઓપન કોટેગરીમાં ગણાઈ જાય. આમ ઠરાવમાં સુધારો કરવાની જાહેરાતથી અનામત વર્ગની બહેનો સહમત થઈ છે. તો હવે સામે પક્ષે બિન અનામત વર્ગની મહિલાઓ નુકસાનની ભીતિ હોવાથી વિરોધમાં ઉતરી આવી છે.
ગાંધીનગરમાં જામી ત્રિશંકુ લડાઈ
હકિકતમાં અહીં હાઈકોર્ટે કોઈપણ પ્રકારના લોચા નહોતા માર્યા પરંતુ સરકાર દ્વારા હાઈકોર્ટના નિર્ણયનું અર્થઘટન ખોટી રીતે કરાયું હતું. જેના કારણે આ મુદ્દો વિવાદ સુધી પહોંચ્યો છે. એટલે કે, હવે ત્રિશંકુ લડાઈ થઈ ગઈ છે. જેનો અંત ક્યાં અને કોવી રીતે આવશે તે તો સરકાર જ જણાવી શકો.