અમદાવાદઃ લોકરક્ષક દળ પેપરકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે રૂપલ શર્માના સંપર્કમાં હાલોલનાં પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારૈયાના પુત્ર હોવાનુ પણ સામે આવ્યુ છે. ત્યારે આ મુદ્દે ઉદેસિંહના પુત્ર રાજેશ્વરસિંહ બારૈયાનો ખુલાસો સામે આવ્યો છે.
રાજેશ્વરસિંહનું કહેવું છે કે ગાંધીનગર સેકટર 8માં આવેલું મકાન રૂપલ શર્માએ ભાડે રાખ્યું હતું. તે પણ સપ્ટેમ્બર મહિનામા માત્ર 15 દિવસ માટે અપાયું હતું. આ મકાન બ્રોકર મારફતે રૂપલને આપવામાં આવ્યું હતું.
પરંતુ રૂપલે તેમાં વિદ્યાર્થીઓને રાખ્યા હોવાથી સ્થાનિક રહીશોની ફરિયાદ આવી રહી હતી. જે બાદ અમે આ મકાન ખાલી કરાવી નાખ્યું હતું. રૂપલ સાથે અમારે કોઈ સંપર્ક નથી. ત્યાર બાદ અમારો ઋપલ શર્મા સાથે કોઈ સંપર્કના હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.