અનામતના પરિપત્ર રદ મુદ્દે આજે રાજ્ય સરકારની અગ્નિપરિક્ષા છે. સરકાર દ્વારા આજે મહિલા આંદોલનકારીની માંગને સંતોષવા નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે. જો કે નવા પરિપત્ર મુદ્દે બિન અનામત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે બિન અનામત વર્ગને સાંભળ્યા વગર પરિપત્ર ન જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
સરકાર દ્વારા આજે અનામત અંગે નવો પરિપત્ર બહાર પડાશે
મહિલા આંદોલનકારીની માંગને સંતોષવા નવો પરિપત્ર
નવા પરિપત્ર મુદ્દે બિનઅનામત સમાજનો વિરોધ
રાજ્ય સરકાર દ્વારા મહિલા અનામત મુદ્દે 2018ના ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરાયું હતું. રાજ્યના પાટનગર ખાતે છેલ્લા 65 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ગઇકાલે રાજ્ય સરકારે માંગણી સ્વીકારી ઠરાવમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી.
જો કે જાહેરાત બાદ બિન અનામત મહિલા ઉમેદવારોએ પરિપત્ર રદ ન કરવા તેમજ ઠરાવમાં કોઇ સુધારો ન કરવા સાથે આંદોલન પર ઉતર્યા જેમાં પાસના નેતા દિનેશ બાંભણિયા તેમજ કરણી સેનાના પ્રમુખ સહિતના આંગેવાનો જોડાયા હતા.
પાસના નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આ પોલીસીની મેટર હાલ કોર્ટમાં હોવા છતાં સરકાર કઇ રીતે પરિપત્રમાં ફેરફાર કરી શકે છે. આમ પાસ કન્વીનરે જણાવ્યું કે જો કોઇકારણોસર 1-8-2018નો પરિપત્ર રદ થશે તો અમે આંદોલન કરીશું.
બિન અનામતવર્ગના આગેવાનોએ પણ બુધવારથી ઉપવાસ શરૂ કર્યાં. પાટીદાર અને બીજા સમાજનું બિન અનામતની મહિલાઓને સમર્થન આપ્યું છે. દિનેશ બાંભણિયા અને SPGનો બિન અનામત વર્ગની મહિલાને ટેકો આપ્યો છે. અનામત વર્ગની મહિલાને કોંગ્રેસના ધારાસભ્યોનું પણ સમર્થન છે.