ગાંધીનગરમાં માલધારી સમાજની મહિલાઓ છેલ્લા 50 દિવસથી વિરોધ કરી રહી છે અને તેમણે ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યુ છે ત્યારે હવે કોળી સમાજ, એસ ટી, ઓબીસી અને આદિવાસીઓ પણ મેદાને આવતા ગાંધીનગરમાં આંદોલન ધીરે ધીરે ઉગ્ર બની રહ્યો છે.
50 દિવસથી દીકરીઓ ધારણા ઉપર બેઠી છે
છેલ્લા ઘણા દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે
છતાં કોઈ પ્રકારનો નિર્ણય સરકાર કરતી નથી
LRD મુદ્દે પ્રવીણ રામનુ નિવેદન
1-8 નો ગેર બંધારણીય ઠરાવ પસાર કરાયો. 50 દિવસથી દીકરીઓ ધારણા ઉપર બેઠી છે. છેલ્લા ઘણા દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે. છતાં કોઈ પ્રકારનો નિર્ણય સરકાર કરતી નથી
આજે અમે ભેગા થઈ અમે સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ. 5 ફેબ્રુઆરી સુધી સરકાર નિર્ણય ન લે તો 6 તારીખથી ઉગ્ર આંદોલન થશે.
શું છે મામલો? LRDની ભરતીમાં અનામત અંગે અવઢવ છે.
STના સર્ટિફિકેટ મામલે થયો વિવાદ
માલધારીઓનો ST મેરિટમાં સમાવેશ ન થતા વિવાદ થયો છે. માલધારી સમાજે સરકારે સામે બાયો ચડાવી છે.
આદિવાસીઓ પણ આવ્યા મેદાને
સરકાર સમાધાન લાવે તે પહેલા આદિવાસીઓ મેદાને આવ્યા છે. અન્ય કોઈને STનો દાખલો ન આપવાની આદિવાસીઓની માંગ કરી છે.
મેરિટમાં જનરલ મહિલાના મેરિટ અંગે પણ વિવાદ
ગુજરતા હાઈકોર્ટે જનરલ મહિલા મેરિટમાં જનરલ મહિલાઓ માટે અનામત અનામતનો આદેશ કર્યો હતો. સરકારે HC આદેશ મુજબ જનરલ મેરિટની જગ્યા ભરી. OBC મહિલાઓએ જનરલ મહિલા અનામતમાં ભરતીની માગ કરી.
અન્ય કેટેગરીમાં માગને લઈને આંદોલન કર્યું
કોંગ્રેસના કોળી નેતાઓએ મહિલાઓના આંદોલનને ટેકો આપ્યો છે. કોંગ્રેસ અને કોળી સમાજની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. બિન અનામત વર્ગોએ પણ કોંગ્રેસને આવેદન આપ્યું છે.