LRD પરીક્ષાને લઈને મેસેજ વાઈરલ થયો હતો કે, LRD પરીક્ષામાં ધોરણ-12થી લાયકાત વધારવામાં આવી છે પરંતુ આ અંગે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે
LRD પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર નથી કરાયો. નિયત ધારાધોરણ મુજબ જ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
LRDની પરીક્ષા અને લાયકાત મુદ્દે પરીક્ષાર્થીઓ અવઢવમાં હતા ત્યારે ખુદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેને સ્પષ્ટતા કરીને જણાવ્યુ છે કે પરીક્ષાના ધારાધોરણ બદલાયા નથી. LRD માટે 12 ધોરણ પાસની જ લાયકાત રહેશે. લોકરક્ષક કેડર ભરતીની પ્રક્રિયા હવે આખરી તબકકામાં છે અને ટુંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
શું કહ્યુ ચેરમેન વિકાસ સહાયે
લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યુ હતુ કે, તાજેતરમાં શૈક્ષણીક લાયકાતમાં ફેરફાર થયેલ છે જેની અસર ચાલુ લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં થવાની છે તેવી અફવાઓ વહેતી થઇ છે. આ બાબતે સ્પષ્ટપણે જણાવવાનું કે, ચાલુ ભરતી પ્રક્રિયામાં લાયકાત અંગે કોઇ પણ ફેરફાર થવાનો નથી અને જાહેરાતમાં જે લાયકાતો દર્શાવવામાં આવેલ છે તે મુજબ જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાને આરે કાર્યવાહી ચાલુ છે.
નવેમ્બરના અંતમાં આવશે પરિણામ
અનુસુચિત જનજાતિ કેટેગીરીના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી હજી કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાઓ પાસે ચાલુમાં છે. આ કાર્યવાહી આશરે 45 દિવસની અંદર પૂર્ણ થવાની શકયતા છે એટલે કે નવેમ્બર માસના અંત સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે.
પરિણામની જાણ વેબસાઈટ મારફતે કરવામાં આવશે
પ્રક્રિયા પૂર્ણ થયેથી લોકરક્ષક કેડરના પરિણામ અંગે વેબસાઇટ મારફતે જાણ કરવામાં આવશે. જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઇ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પુચ્છા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે