પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રુપિયાની સબસિડી આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે કેન્દ્રનો નિર્ણય
સિલિન્ડર દીઠ મળશે 200 રુપિયાની સબસિડી
12 સિલિન્ડર સુધી મળતી રહેશે 200 રુપિયાની સબસિડી
ઉજ્જવલા યોજનાનાના 9 કરોડ લાભાર્થીઓને મળશે લાભ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રુપિયાની સબસિડી મળશે તેવી જાહેરાત સરકારે કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નવ કરોડથી વધારે લાભાર્થીઓને 200 રુપિયા સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી)ની સબસિડી આપવામાં આવશે, આને કારણે આપણી માતાઓ અને બહેનોને મદદ મળશે.
Also, this year, we will give a subsidy of Rs 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana: Union Finance Minister Nirmala Sitharaman
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીય ખાસ કરીને મહિલાઓને મદદ પહોંચાડી છે. ઉજ્જવલા સબસિડીનો આજનો નિર્ણય ફેમિલી બજેટમાં ઘણો મોટો ઘટાડો કરી દેશે.
"Ujjwala Yojana has helped crores of Indians, especially women. Today’s decision on Ujjwala subsidy will greatly ease family budgets," tweets PM Narendra Modi
નાણા મંત્રી સીતારામણે રાજ્યોને કરી વેટ ઘટાડાની અપીલ
પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડાની જાહેરાત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણે રાજ્યોને વેટ ઘટાડાની અપીલ કરી હતી. નાણા મંત્રીની આ અપીલ બાદ રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડે તેવી સંભાવના છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ઘટાડો કર્યો કેન્દ્ર સરકારે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાટો આવશે.
It is always people first for us. Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living’: PM Narendra Modi
અમારે માટે લોકો જ પહેલા છે- પેટ્રોલ-ડીઝલ ઘટાડા બાદ બોલ્યાં પીએમ મોદી
પેટ્રોલ અને ડીઝલના ઘટાડા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે અમારે માટે હંમેશા લોકો જ પહેલા રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને આ નિર્ણયને વધાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે અમારે માટે તો લોકો જ હમેંશા પહેલા રહ્યાં છે. આજનો નિર્ણય ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના મહત્વનો ઘટાડો વિવિધ સેક્ટર પર પોઝિટીવ અસર પાડશે, આપણા લોકોને રાહત આપશે અને જીવનધોરણ વધારે સરળ બનાવશે.
પ્લાસ્ટિક પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય
નિર્મલા સીતારામણે એવું પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે રો મટિરિયલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સ્ટીલના કાચા માલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કરાશે. સ્ટીલની કેટલીક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં ચાલુ રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીય ખાસ કરીને મહિલાઓને મદદ પહોંચાડી છે. ઉજ્જવલા સબસિડીનો આજનો નિર્ણય ફેમિલી બજેટમાં ઘણો મોટો ઘટાડો કરી દેશે.