રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઇને મોટી જાણકારી સામે આવી રહી છે. સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં સંકેત મળી રહ્યાં છે કે એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોને સિલિન્ડર દીઠ 1000 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, આ અંગે સરકારનો શું વિચાર છે તે હજી સ્પષ્ટ થયુ નથી.
સરકારના આંતરિક મૂલ્યાંકનમાં વાત સામે આવી
એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોને 1000 રૂપિયા ચૂકવવા પડશે
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે
જાણો શું છે સરકારનો પ્લાન ?
મીડિયા રિપોર્ટસ મુજબ, સરકારે સબસિડી મુદ્દે ઘણી વખત ચર્ચા કરી છે. પરંતુ અત્યાર સુધી કોઈ યોજના બનાવી નથી. મીડિયા રિપોર્ટસ મુજબ, સરકારની પાસે 2 વિકલ્પ છે. પ્રથમ નંબરે સબસિડી વગરના સિલિન્ડર સપ્લાય કરે. બીજા નંબરે કેટલાંક ગ્રાહકોને સબસિડીનો લાભ આપવામાં આવે. સબસિડી આપવા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટસ મુજબ, અત્યાર સુધી 10 લાખ રૂપિયાના આવકના નિયમને લાગુ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. જ્યારે બાકી લોકો માટે સબસિડી ખત્મ થઇ શકે છે.
2016થી એલપીજી કનેક્શન આપવાની શરૂઆત કરાઈ હતી
મહત્વનું છે કે, આ યોજના 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને એલપીજી કનેક્શન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. ભારતમાં લગભગ 29 કરોડથી વધુની પાસે એલપીજી કનેક્શન છે. તેમાં ઉજ્જવલા યોજના હેઠળ અંદાજે 8.8 એલપીજી કનેક્શન છે. FY22માં સરકાર યોજના હેઠળ વધુ એક કરોડ કનેક્શન જોડવાની યોજના બનાવી રહી છે.
સબસિડીની શું સ્થિતિ છે ?
વર્ષ 2020માં જ્યારે કોરોના વાયરસ મહામારીને પગલે દુનિયાભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ. એ સમયે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો આવ્યો હતો. જેનાથી ભારત સરકારને એલપીજી સબસિડીના મોરચે મદદ મળી. કારણકે કીમત ઓછી હતી અને સબસિડીને લઇને ફેરફારની આવશ્યકતા નહોતી. મે 2020થી ઘણાં ક્ષેત્રોમાં એલપીજી સબસિડી બંધ થઇ ગઇ છે. અમુક એલપીજી પ્લાન્ટથી દૂર છે.