કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ની હેઠળ અત્યાર સુધી કુલ 6 કરોડથી વધારે ગેસ કનેક્શન આપ્યા છે પરંતુ મોટેભાગે લોકો આ યોજનાથી જોડાયેલા નિયમો નથી જાણતા.
જો કોઇ ગેસ એજન્સી તમને સિલિન્ડરની હોમ ડિલિવરી નથી આપતી તો એવી સ્થિતિમાં ઘણી વખત તમારે ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સી ગોડાઉન જવું પડે છે. એવામાં તમે ગેસ એજન્સીની પાસેથી કેટલાક રૂપિયા પરત માંગી શકો છો.
ગેસ એજન્સી તમને સિલિન્ડર ઘરે ડિલીવર કરે છે તો તમને જણાવી દઇએ કે એજન્સી તમારી પાસેથી 19.50 રૂપિયા ચાર્જ કરે છે પરંતુ જો તમે ગોડાઉન જઇને પોતે સિલેન્ડર લો છો તો એજન્સી તમને આ રૂપિયા પરત આપશે. કોઇ પણ એજન્સી આ રકમ આપવા માટે ઇન્કાર નહી કરી શકે.
આ રકમ ડિલિવરી ચાર્જ તરીકે તમારી એટલે કે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. જો કોઇ એજન્સી આ રકમ આપવા માટે ઇન્કાર કરે તો તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.