LPG સિલિન્ડર દરેક ઘરની જરૂરિયાત બન્યું છે. હવે તેને લઈને અનેક નિયમોમાં ફેરફાર આવ્યા છે જેમાં હવે એડ્રેસ પ્નૂફ વિના જ સિલિન્ડર મળી શકશે.
LPG સિલિન્ડરના નિયમોમાં આવ્યો ફેરફાર
જાણો કેવી રીતે કરશો બુકિંગ
રેસિડન્ટ પ્રૂફ જરૂરી રહેશે નહીં
કોરોનાની મહામારીમાં અનેક જગ્યાઓએ અનેક નિયમોમાં છૂટ અપાઈ છે. આ છૂટમાં હવે તેલ કંપનીની તરફથી પણ ગેસ સિલિન્ડર માટે છૂટ અપાઈ છે. હવે એડ્રેસ પ્રૂફ વિના જ ગેસ સિલિન્ડર અપાશે.
જાણો શું છે યોજના
પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનાના આધારે સરકારે 2 વર્ષમાં 1 કરોડથી વધારે ફ્રી એલપીજી કનેક્શન આપવાના છે. આ યોજનાના આધારે સરકાર ગરીબ પરિવારને ફ્રીમાં એલપીજી કનેક્શન આપે છે. આ માટે હવે રેસિડન્ટ પ્રૂફ વિના પણ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. આ સિવાય તમે તમારા પડોશના 3 ડીલરની પાસે રિફિલ સિલિન્ડર લઈ શકાય છે.
આ રીતે કરી લો અરજી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના આધારે ગેસ સિલિન્ડરનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનથી ફોર્મ ડાઉનલોડ કરો અને સાથે નજીકની એલપીજી કેન્દ્ર પર જમા કરો. તેનાથી સાથે જનધન એકાઉન્ટ અને ઘરના સભ્યોના એકાઉન્ટ નંબર જેવી જરૂરી જાણકારી અપડેટ કરો. સાથે જ તમને સરકારની તરફથી ફ્રીમાં કનેક્શન મળી જશે.
આ રીતે કરો સિલિન્ડર બુક
જો તમારી પાસે ઈન્ડેન કંપનીના એલપીજીનું કનેક્શન છે તો તમે તેને બુક કરવા માટે 8454955555 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. આ સિવાય તમે વોટ્સએપની મદદથી 7588888824 પર 'REFILL' ટાઈપ કરીને મોકલી શકો છો. આમ કરવાથી તમારો સિલિન્ડર બુક થઈ જશે.