એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડીને લઇને ગ્રાહકોના મનમાં હંમેશા સવાલ ઉભા થતા હોય છે. ઘણાં ગ્રાહકોની ફરિયાદ રહે છે કે તેમના ખાતામાં સબસિડી આવે છે કે નહીં. તો ઘણાં ગ્રાહકોને લાગે છે કે સરકારે ગેસ સિલિન્ડર પર સબસિડી સમાપ્ત કરી દીધી છે.
LPG ગેસ સિલિન્ડર પર સબસિડી લઈને ગ્રાહકો મુંઝવણમાં
ગ્રાહકોએ સોશિયલ મીડિયા દ્વારા સરકારને પૂછ્યા સવાલ
સરકારે કહ્યું, ચિંતા ના કરશો, સબસિડી બંધ કરી નથી
ગ્રાહકોએ પૂછ્યા આ સવાલ
એવી જ રીતે એક ગ્રાહકે સોશિયલ મીડિયા દ્વારા સવાલ કર્યા હતા. શું એલપીજી સિલિન્ડર પર સબસિડી સમાપ્ત કરી દીધી છે? તો સરકાર તરફથી આવો જવાબ આપવામાં આવ્યો. દિલ્હીના એક ગ્રાહકે ટ્વિટ કર્યુ, એક વખત ફરીથી જાણવા માંગીશુ કે શું મોદી સરકારે એલપીજી પર સબસિડી સમાપ્ત કરી દીધી છે. કારણકે છેલ્લાં 18 મહિનામાં એક પણ સબસિડીના પૈસા અમારા ખાતામાં આવ્યાં નથી. જ્યારે ગેસ એજન્સીના વાઉચર મુજબ, રૂપિયા 859ની સાથે Subsidised Cylinder લખે છે. સીએલ શર્મા નામના આ ગ્રાહકે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ વિભાગ MoPNG_Sevaને ટેગ કરી ટ્વિટની સાથે ગેસ એજન્સીની પહોંચ પણ જોડી છે.
हम एकबार फिर जानना चाहेंगे कि क्या मोदी सरकार ने एलपीजी पर सब्सिडी खत्म कर दीं है .क्योंकि पिछले 18 महीने में एक पैसा भी सब्सिडी का हमारे a/c में नहीं आया,जबकि गैस एजेंसी वाउचर पर बाकायदा Rs859 के साथ subsidised cylinder लिखती है .Vr attached. #PMModi,@MoPNG_eSevapic.twitter.com/eNc4e1QYVi
ટ્વિટર એકાઉન્ટ @MoPNG_eSeva દ્વારા આ ટ્વિટનો જવાબ આપવામાં આવ્યો. પ્રિય ગ્રાહક આ બાબતનું ધ્યાન રાખે- સબસિડી સમાપ્ત કરવામાં આવી નથી. પરંતુ અત્યારે ઘરેલુ એલપીજી ગેસ પર સબસિડી ચાલુ છે અને આ અલગ-અલગ માર્કેટમાં અલગ હોય છે. ડીબીટીએલ યોજના 2014 મુજબ, કોઈ પણ માર્કેટ માટે સબસિડીની રકમ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત અને સબસિડી વગરના ગેસ સિલિન્ડરની બજાર દ્વારા નક્કી કરેલી કિંમતની વચ્ચે અંતરથી નક્કી થાય છે.
ક્યારે મળશે સબસિડી?
@MoPNG_eSevaએ પોતાના આગામી ટ્વિટમાં લખ્યું, જો સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત સબસિડીવાળા કિંમતથી વધુ છે, તો આવા અંતરની રકમને સિલિન્ડરોની મહત્તમ મર્યાદા, જે હાલમાં નાણાંકીય વર્ષ દીઠ 12 રિફિલ સિલિન્ડર હોય છે. તો રોકડ લેતા ગ્રાહકોના બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવે છે. ઉપરમુજબના દરેક મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારા બેંક ખાતામાં મે-2020થી તમારી સબસિડી 0 ટકા જનરેટ થઈ રહી છે. તેથી હવે કોઈ સબસિડી તબદીલ કરવામાં આવી નથી. આ ઉપરાંત એલપીજી સંબંધિત કોઈ બીજી ફરિયાદ છે તો તમારે સીધા ગ્રાહક સેવા કોલ 011-23322395, 23322392, 23312986, 23736051, 23312996 પર સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.