જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યાં છો તો એલપીજી દ્વારા થતા અકસ્માત અંગે સજાગ અને સાવચેત રહેવું પણ જરૂરી છે. ચાલો જાણી લો શું ધ્યાન રાખવું.
ગેસ સિલિન્ડર વાપરતા લોકો માટે કામના સમાચાર
અકસ્માત અંગે સજાગ અને સાવચેત રહેવું જરૂરી
નાની અમથી પણ ભૂલ ભારે પડી શકે છે
છેલ્લા સાત વર્ષ દરમિયાન ભારતના લગભગ 99 ટકા ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડરો પહોંચી ગયા છે. 2014માં આ આંકડો 55 ટકાની આસપાસ હતો. ઈન્ડિયન ઓઇલ દ્વારા 10 માર્ચ 2021એ જારી કરવામાં આવેલા ડેટા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશભરમાં એલપીજીના વધતા ઉપયોગથી લોકોને સ્વચ્છ બળતણનો વિકલ્પ મળી ગયો છે. પરંતુ, એલપીજી દ્વારા થતા અકસ્માત અંગે સજાગ અને સાવચેત રહેવું પણ જરૂરી છે. આમાં નાની અમથી પણ ભૂલ લોકોના જીવન સહિત ઘણી બાબતો પર ભારે પડી શકે છે.
નવું એલપીજી કનેક્શન લેતી વખતે ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા એલપીજીના સુરક્ષિત ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવે છે. એલપીજી ગેસવાળી કંપનીઓ લોકોને વિવિધ માધ્યમથી સમય-સમય પર સાવચેત રહેવાનું પણ કહે છે. આજે અમે તમને આવી જ કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા ઘરે એલપીજી સિલિન્ડર સુરક્ષિત રાખી શકો છો.
આ બાબતોનું રાખો ધ્યાન
ઘરે મુખ્ય એલપીજી સિલિન્ડરની સાથે એક્સ્ટ્રા ભરેલાં સિલિન્ડરને હવાવાળી જગ્યાએ રાખો. જો સિલિન્ડરમાંથી ગેસ લીક થઈ રહ્યો છે તો તે એક જગ્યાએ ભેગી નહીં થાય. તેથી ગેસ સિલિન્ડરને હવાનીવાળી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે, રસોડાના કેબિનેટમાં ભૂલથી પણ ભરેલો બાટલો રાખવો નહીં.
ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે ચેક કરવું કે તે કંપની દ્વારા સીલ કરેલું છે કે નહીં. એ પણ નોંધ લો કે સલામતી કેપમાં કોઈ છેડછાડ કરવામાં આવ્યું નથી. જો તમને આ વિશે કોઈ શંકા થાય, તો ગેસ સિલિન્ડર ડિલીવર કરનારવ્યક્તિનો સંપર્ક કરો.
એલપીજી સંબંધિત કોઈપણ ઉત્પાદનની ખરીદી કરતી વખતે, તેના પર બીઆઈએસ દ્વારા માન્ય લાઇસન્સ તપાસો. અધિકૃત ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી વસ્તુઓ ખરીદવી.
કોઈ પણ આકસ્મિક અકસ્માત ન થાય તે માટે ગેસ સ્ટોવ, પાઇપ, રેગ્યુલેટર વગેરેને સમય સમય પર સર્વિસ કરાવો. તમે આ માટે ડિસ્ટ્રીબ્યુટર્સ મિકેનિકનો સંપર્ક કરી શકો છો.
ઉપયોગ કર્યા પછી રેગ્યુલેટર નોબને બંધ કરવાની ખાતરી કરો. સૂતા પહેલા દરરોજ એકવાર તેને તપાસવું વધુ સારું છે. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ ન કરો ત્યારે તેને બંધ રાખો.
ધ્યાનમાં રાખો કે તમારા ગેસ સિલિન્ડર કોઈપણ ગરમ સામગ્રીના સોર્સની આસપાસ ન મૂકવા જોઈએ. જો શક્ય હોય તો, રસોડામાં કેરોસીન અથવા પેટ્રોલિયમ ઉત્પાદનો પણ રાખવા નહીં.