આવનારા 4 દિવસ બાદ એટલે કે ડિસેમ્બર 2020માં સામાન્ય માણસ સાથે જોડાયેલી કેટલીક બાબતોમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને RTGSના સમયમાં, રસોઈ ગેસની કિંમતોમાં અને સાથે જ રેલ્વે અને બેંકની લેવડદેવડના નિયમો બદલાઈ શકે છે. તો જાણો આ તમામ ફેરફારની તમારા ખિસ્સા પર કેવી અસર થશે.
ડિસેમ્બરમાં બદલાશે 4 નિયમો
RTGS, રસોઈ ગેસ, બેંકની લેવડદેવડ અને રેલ્વેના નિયમોમાં આવશે ફેરફાર
જાણો નવા નિયમની તમારા પર શું થશે અસર
24 કલાક મળશે RTGSની સુવિધા
ડિસેમ્બરથી બેંકોએ રૂપિયાની લેવડદેવડની સાથે જોડાયેલો નિયમ બદલવાનું નક્કી કર્યું છે. આરબીઆઈએ 24 કલાક માટે RTGSની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલમાં આ સુવિધા મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મળે છે. હવે ગ્રાહકોને 24 કલાક આ સુવિધા મળશે.
બદલાશે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો
દર મહિનાની પહેલી તારીખે સરકાર રસોઈ ગેસ એટલે કે એલપીજીના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એટલે કે 1 ડિસેમ્બરે દેશમાં રસોઈ ગેસના ભાવમાં ફેરફાર આવશે. ગયા મહિને કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો હતો.
પ્રીમિયમમાં આવી શકે છે ફેરફાર
વીમાધારક 5 વર્ષ બાદ પ્રીમિયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે પોલિસી અડધી કિસ્ત સાથે ચાલુ રાખી શકાય છે.
નવા મહિનાથી ચલાવી શકાશે આ નવી ટ્રેન
ભારતીય રેલ્વેએ કહ્યું છે કે 1 ડિસેમ્બરથી અનેક નવી ટ્રેન ચલાવવામાં આવી રહી છે. કોરોના સંકટ બાદ રેલ્વે સતત નવી સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહ્યું છે. હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનને ફરી શરૂ કરવામાં આવશે જેમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બંને સામેલ છે.