રવિવારે પુરા થયેલા અઠવાડિયામાં કોરોનાથી થનારા મોતમાં 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
61 દિવસ બાદ રોજના થનારા મોતમાં 7 ડેઝ રોલિંગ એવરેજ ઘટીને 1000 થી નીચે
12 એપ્રિલ બાદ પહેલી વાર આંકડા 1000થી પણ નીચે
3 મહિના બાદ 7 ડે એવરેજ 50 હજારથી નીચે
61 દિવસ બાદ રોજના થનારા મોતમાં 7 ડેઝ રોલિંગ એવરેજ ઘટીને 1000 થી નીચે
બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણથી દેશમાં થનારા મોતનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. રવિવારે પુરા થયેલા અઠવાડિયામાં કોરોનાથી થનારા મોતમાં 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયા દરમિયાન લગભગ 61 દિવસ બાદ રોજના થનારા મોતમાં 7 ડેઝ રોલિંગ એવરેજ ઘટીને 1000 થી નીચે આવ્યો છે. રવિવારે દેશમાં કોરોના સંક્રમણથી 689 લોકોના મોત થયા છે જે લગભગ 81 દિવસમાં સૌથી ઓછા છે. આ પહેલા 7 એપ્રિલે 685 મોત નોંધાયા છે.
12 એપ્રિલ બાદ પહેલી વાર આંકડા 1000થી પણ નીચે
12 એપ્રિલ બાદ રવિવારે 27 જૂને પહેલા વાર કોરોના સંક્રમણથી રોજ થનારી મોતનો આંકડો 1000 થી નીચે નોંધાયો છે જ્યારે તેમાં મહારાષ્ટ્રમાં રિપોર્ટ કરવામાં આવ્યા 262 બેકલોગ મોતને પણ જોડવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે(14થી 20 જૂન) કોરોનાથી થનારા મોતમાં 45 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જે મહામારીની શરુઆતથી અત્યાર સુધીમાં સૌથી વધારે અઠવાડિયાનો ઘટાડો છે.
3 મહિના બાદ 7 ડે એવરેજ 50 હજારથી નીચે
જ્યારે કોરોનાના કેસ 7 અઠવાડિયાથી સતત ઘટી રહ્યા હતા. ત્યારે 2 અઠવાડિયા સુધી કોરોનાથી થનારા મોતમાં પણ ઘટાડો નોંધાયો હતો. કોરોનાના દૈનિક મામલા 7 દિવસ એવરેજ રવિવારે 50, 000થી નીચે આવી ગયો છે. છેલ્લી વાર આ આંકડો 50 હજારની નીચે 3 મહિના પહેલા 25 માર્ચ આવ્યો હતો.
રવિવારે નોંધવામાં આવ્યા 46, 315 નવા મામલા
આ અઠવાડિયે ભારતમાં કોરોનાના 3,45,028 નવા મામલા નોંધાયા છે. જે ગત 7 દિવસની સરખામણીએ 19 ટકા ઓછા છે. આ 15થી 17 માર્ચ બાદથી 14 અઠવાડિયામાં કેસોની સૌથી ઓછી સંખ્યા પણ હતી. એક ન્યૂઝ પેપરના કોવિડ ડેટા બેસના મુજબ રવિવારે 46,315 નવા મામલા નોંધવામાં આવ્યા છે. દેશમાં આ સમય એક્ટિવ કેસની સંખ્યા 5.8 લાખની આસપાસ છે. શનિવારે આ 6 લાખની નીચે આવી ગયા હતા.