બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / low volume daily servings of alcohol can increase risk of death study

જબરુ થયું / હાયલા હવે તો હાથ પણ ન લગાડાય ! થોડો દારુ બની શકે મોતનું કારણ, રિસર્ચના ખુલાસાથી પિયક્કડની ઉડી ઊંઘ

Hiralal

Last Updated: 02:53 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામા નેટવર્ક ઓપનમાં પ્રસિદ્ધ થયેલા એક રિસર્ચમાં એવું જણાવાયું છે કે થોડો દારુ પણ મોતનું કારણ બની શકે છે.

  • દારુ સારો કે નહીં તેને લઈને અનેક ચર્ચા
  • કોઈ કહે સારો કોઈ નહીં નહીં
  • હવે દારુને લઈને કરાયું રિસર્ચ
  • કહેવાયું- થોડો દારુ પણ બની શકે છે મોતનું કારણ 

મોટા ભાગના રિસર્ચમાં આપણે સાંભળતા આવ્યા છીએ કે ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે. પરંતુ નવા સંશોધને આ દંતકથાને સંપૂર્ણપણે તોડી નાખી છે. આ નવા સંશોધન મુજબ મર્યાદિત માત્રામાં દારૂ પીવાથી તમે મોતની નજીક પણ પહોંચી શકો છો. 

1.5 ઔંસથી ઓછો દારુ પીવાથી મોતનું જોખમ
જામા નેટવર્ક ઓપન (જેએએમએ)માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 100થી વધુ લોકો પર નજર કરવામાં આવી હતી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા અને દર અઠવાડિયે એક વાર દારૂનું સેવન કરતા હતા તેઓ કોઈ પણ કારણથી મૃત્યુનું જોખમ ઓછું કરતા નથી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓ માટે 1 ઔંસથી ઓછું અને પુરુષો માટે 1.5 ઔંસથી ઓછો દારુ પીવાથી મોતનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. જામા નેટવર્ક દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં લગભગ 5 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં ક્યારેય દારૂ ન પીનારી મહિલાઓમાં મોતનું જોખમ વધારે જોવા મળ્યું છે. આ સંશોધન એ મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે જે માને છે કે ઓછી માત્રામાં આલ્કોહોલ પીવો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

કેટલો દારુ પીવો-CDCએ જણાવી માત્રા 

અમેરિકાની સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ વિગતવાર જણાવ્યું છે કે, મહિલાઓ અને પુરુષો માટે દર અઠવાડિયે 14મા ભાગનો દારુ લેવાની સલાહ અપાઈ છે ને ન પીવો તો વધારે સારુ છે. જોકે, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી પણ મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

આલ્કોહોલનું ઓછું પ્રમાણ પણ આરોગ્ય માટે સારુ નથી 
સ્ટડીમાં એ વાત સામે આવી હતી કે આલ્કોહોલનું ઓછું પ્રમાણ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર નથી થતી, પરંતુ તેની ખૂબ જ ખરાબ અસર પડે છે.

શું કહેવાયું હતું અગાઉના રિસર્ચમાં 
આ પહેલાના ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી હતી કે, ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો ઓછો થઇ શકે છે. પરંતુ આ રિસર્ચ ઓબ્ઝર્વેશન પર આધારિત હતું, જેના કારણે એ સમજવું વધુ મુશ્કેલ બની રહ્યું છે કે આલ્કોહોલથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશરનું લેવલ કેટલું વધી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol Alcohol research OMG liqour ban OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ