ભાવનગરઃ એક તરફ પાણી અને વીજળીની સમસ્યા તો બીજી બાજુ મોંઘા બિયારણો અને મજૂરીના ઊંચા દર ચૂકવાય પછી ખેડૂતોને ડુંગળી ના પૂરતા ભાવો મળતા નથી. ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. કહેવાય છે કે 1 વીઘાના વાવેતરમાં ખેડૂતને જ્યારે ડુંગળી બહાર નીકળે ત્યારે 15000નો ખર્ચ થાય છે. જ્યારે યાર્ડમાં વહેંચવા લાવે છે ત્યારે તેને આજ માલના 15000 પુરા મળતા નથી. આજના દિવસે પણ ભાવનગર યાર્ડમાં ડુંગળીનો 1 મણનો ભાવ 50 રૂપિયાથી 130 સુધી નીચે ઉતરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર ડુંગળી માટે દર વર્ષે ભાવ બાંધણું કરે તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજીબાજુ 2016માં જાહેર કરેલી સબસીડીની રકમ આજ સુધીના ચુકવતા ખેડૂતોની હાલત દયનિય બની છે.
ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. મહારાષ્ટ્રના નાસિક બાદ ભાવનગર જીલ્લો ડુંગળીના ઉત્પાદન માટે બીજા ક્રમે આવે છે. જિલ્લામાં ડુંગળીનું કુલ વાવેતર 20 હજાર કરતા વધુ થાય છે. શિયળાની સીઝનમાં અન્ય રાજ્યોમાં ડુંગળીની માંગ વધુ હોય છે. આ દિવસોમાં વધુ વાવેતર કરવામાં આવે છે. ભાવનગર યાર્ડમાં જ્યારે સીઝન હતી ત્યારે દરરોજ 1 લાખથી વધુ થેલા વહેંચાવા માટે આવતી હતી. ગત વર્ષે ખેડૂતોને જ્યારે માર્ચ મહિનામાં અન્ય રાજ્યો ડુંગળીની માંગ ઘટી જતા અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન વધ્યું છે.
ત્યારે અહીં ભાવ 20 કિલોનો ભાવ 50 રૂપિયાથી લઇને 130 રૂપિયા જેવો થઇ જતા ખેડૂતોમાં રોષ જાગ્યો હતો. આજના દિવસે પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ભલે ઓછી હોય પરંતુ ભાવો તળિયે બેસી જતા ખેડૂતોને બિયારણ કે મજુરીના પૈસા પણ નીકળે તેવી સ્થિતિ નથી. ખેડૂતો ડુંગળીના ભાવ માટે સરકારે કોઈ ચોક્કસ નીતિ નક્કી તે જરૂરી છે. સરકારે ગત વર્ષે ડુંગળીના ભાવો ભાવ ઘટી જતા ખેડૂતો મતે સબસીડીની જાહેરાત કરી હતી. પરંતુ ભાવનગર યાર્ડમાં ચૂંટાયેલા સભ્યોનું અસ્તિત્વ નથી અને ખેડૂતોને ગેટ પાસના માળતા અંદાજે 13 કરોડ જેવી સબસીડી અટવાઈને પડી છે. ભાવનગરમાં ખેડૂતોને આ વર્ષે પૂરું પાણી મળ્યું નથી. એક તરફ આ વર્ષે વાવેતર ભલે વધ્યું હોઈ પણ ઉતારો ઓછો આવશે અને તેના કારણે માલ જો બજારમાં ઓછો આવે તો ભાવ વધવા જોઈએ. તેના બદલે હજુ નવેમ્બર અને ડીસેમ્બરમાં ડુંગળી બજારમાં આવે તે પહેલા જ હાલ ભાવો તળિયે બેસી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
વર્ષ 2016માં સરકારે જાહેર કરેલી સબસીડી આજ સુધી ચુકવવામાં આવી નથી. જિલ્લાના ભાવનગર તળાજા પાલીતાણા અને ઘોઘાના 11000 ખેડૂતોના 16 કરોડથી વધુ રકમની સબસીડી સરકાર પાસે લેણી છે. જો અત્યારે સબસીડી આપવામાં આવે તો ખેડૂતોને હાલ જે ભાવ નથી મળતા તેમાં રાહત થાય તેમ છે. ત્યારે સરકારે હવે ડુંગળીમાં પણ ટેકા ના ભાવ બાંધી આપવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.