જામનગરમાં ગઇકાલે રાત્રે બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ગણતરીની મિનીટમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં એક સમયે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 28 કિમી દૂર નોંધાયું છે.
ગણતરીની મિનિટોમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5 અને 2.3 નોંધાઇ
ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 28 કિમી દૂર નોંધાયુ
ગઇકાલે સૌરાષ્ટ્રના જામનગરના લોકોમાં ભૂકંપને લઇને ભૂતકાળની યાદો ફરી તાજી થઇ ગઇ હતી. ગઇકાલે રાત્રે 11.04 અને 11.09 વાગ્યે આવેલ ઉપરાઉપરી બે ભૂકંપના આંચકાને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવતાં કેટલાક સ્થળો પર લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
જામનગરમાં ગણતરીની મિનિટોમાં બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5 અને 2.3 નોંધાઇ હતી. જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇ જાનહાનિના અહેવાલ મળ્યાં નથી.
સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ ગણાતાં જામનગર શહેરની ધરા ધ્રુજી ઉઠી હતી. રાત્રે આવેલા બે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 28 કિમી દૂર નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ થોડા દિવસ અગાઉ નવસારીના વાસંદાતુલાકના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આમ રાજ્યમાં ફરી એકવાર ભૂકંપની લાઇન સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. નવસારીના વાસંદા પાસે લાખાવાડી ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોધાયું હતું.