રેલવે હવે લોકોની વચ્ચે સ્વચ્છતાની જાગરૂકતા ફેલાવવા માટે સેનેટરી નેપકિન અને કોન્ડમ વેચશે. એના માટે રેલવેએ નવી પોલિસી તૈયારી કરી લીધી છે જેને રેલવે બોર્ડે મંજૂર પણ કરી લીધું છે. એ પોલિસી હેઠળ રેલવે સ્ટેશન પરિસરના પ્લેટફોર્મ અને એની બહાર પણ ટોયલેટનું નિર્માણ કરશે.
રેલવેએ કહ્યું છે કે પરિસરની બહાર પણ ટોયલેટનું નિર્માણ કરવાથી ગરીબ લોકોને ફાયદો મળશે જો કે સ્ટેશનોની પાસે બનેલી ઝૂપડીમાં રહે છે. આ લોકો પરિસરની આસપાસ ખૂબ જ ગંદકી ફેલાવે છે. ગામના રહેનાર લોકો મોટાભાગે ખુલ્લામાં શૌચ કરે છે જેનાથી ગંદકી ફેલાય છે અને એનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે.
આ સમસ્યાઓથી નિપટવા માચે રેલવે પરિસરોનો ઉપયોગ મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય વાળા સુવિધા કેન્દ્ર બનાવવામાં કરશે. અહીંયા માસિક ધર્મથી જોડાયેલી સાફ સફાઇ તથા ગર્ભનિરોધકનો ઉપયોગની જાણકારી આપવામાં આવશે.
આ મહિલા અને પુરુષ શૌચાલયોમાં વેડિંગ મશીન લગાવવામાં આવશે જેમાંથી સસ્તા દર પર મહિલાઓને સેનેટરી નેપકિન અને પુરુષોને કોન્ડમ મળશે. એમાંથી એક શૌચાલય સ્ટેશન પરિસરની અંદર અને બહાર બનશે.
હાલમાં દેશભરમાં નાના મોટા મળીને 8500 રેલવે સ્ટેશન છે. રેલવે પોતાની જમીન પર જ આ સુવિધા કેન્દ્રોને બનાવશે. રેલવેના આ પગલાથી બની શકે છે આવનારા દિવસોમાં આવા લોકો માટે સારા દિવસ આવી શકે.