વડોદરાના માંજલપુરમાં લવજેહાદના કેસની તપાસ મકરપુરા પીઆઇને સોંપવામાં આવી છે. માંજલપુર પીઆઇ મુસ્લિમ હોવાથી મકરપુરા પીઆઇને તપાસ સોંપાઇ છે. માંજલપુર પીઆઇ મુસ્લિમ હોવાથી તપાસમાં કોઇ આક્ષેપ ન થાય તે માટે ખુદ માંજલપુર પીઆઇએ જ અન્ય અધિકારીને તપાસ સોંપવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં એક વિદ્યાર્થીનીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. માત્ર એક વખત જ નહીં પરંતુ અનેક વખત આ વિધર્મી વિદ્યાર્થીનીને ધમકી આપી જુદી જુદી જગ્યા પર લઈ ગયો અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું. જોકે સગિરાએ વિધર્મીની આ કરતુત અંગે પોતાની માતાને જણાવતા, પીડિતાની માતાએ આ મામલે ગુનો નોંધાતા માંજલપુર પોલીસે આરોપી તૌસીફની ધરપકડ કરી છે.