મુંબઇ: શલમાન ખાનની હોમ પ્રોડક્શન 'લવરાત્રિ' અનાઉસમેન્ટની વખતે જ ચર્ચામાં બનેલી છે. એનું કારણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહેલા સલમાનના જીજા આયુષ શર્મા નહીં પરંતુ આ ફિલ્મનું ટાઇટલ છે જેને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં 'લવરાત્રિ'નું ટ્રેલર આવનાર નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને રિલીઝ કરવામાં આવ્યું હતું. કારણ કે ફિલ્મની કહાની પણ આ તહેવારની આજુબાજુ ફરે છે. એટલા માટે ફિલ્મનું ટાઇટલ પણ 'લવરાત્રિ' રાખવામાં આવ્યું છે.
જો કે કેટલાક દક્ષિણપંથી સંગઠનોએ આપત્તિ વ્યક્ત કરતા આ ફિલ્મના મેકર્સ પર નવરાત્રિનું નામ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. સમગ્ર વિવાદને જોતા હવે સલમાન ખાને પોતાની ફિલ્મનું નામ બદલીને 'લવયાત્રી' કરી દીધું છે અને એની જાહેરાત સલમાને ટ્વિટર દ્વારા કરી. ફિલ્મના બદલાયેલા નામ વાળા નવા પોસ્ટરને ટ્વિટ કરતાં સલમાને લખ્યું 'આ કોઇ સ્પેલિંગ મિસ્ટેક નથી. ફિલ્મનું બદલેલું નામ છે લવયાત્રી.'
જણાવી દઇએ કે વિશ્વ હિંદુ પરિષદ સંગઠન અને બાકી કેટલાક સંગઠનોએ ફિલ્મના ટાઇટલને ચેન્જ કરવાની ડિમાન્ડ કરી.